By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી
GeneralNational

ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી

HM News
Last updated: 04/05/2022 11:39 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 04 એપ્રિલ 2022, બુધવાર : ભારતીય રેલ્વે પોતાનામાં જ સૌથી અનોખી માનવામાં આવે છે, તે વિશ્વનું એક ખૂબ જ જટિલ રેલ્વે નેટવર્ક છે.ભારતીય રેલવે એશિયાની બીજી અને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે.પરંતુ શું તમને ખબર છે કે, ભારતમાં છેલ્લા 73 વર્ષોથી એક એવી ટ્રેન પણ ચાલી રહી છે જેમાં મુસાફરી કરનારે કોઈ ભાડુ ન ચૂકવવું પડે.આ ટ્રેનમાં લોકો ફ્રીમાં મુસાફરી કરે છે.ભારતમાં મોટેભાગે લોકો રેલ મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે, તે સસ્તી અને આરામદાયક હોય છે. જો કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ભાડું ચૂકવવું જરૂરી છે પરંતુ અમે તમને જે ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમે ભાડું ચૂકવ્યા વિના મુસાફરી કરી શકો છો.

આ ટ્રેન ભાખડા અને નાગલ વચ્ચે ચાલે છે.તે હિમાચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર પર ચાલે છે.ભાખડા નાગલ બંધ જોવા જનારા લોકો આ ટ્રેનમાં મફત મુસાફરીનો ફાયદો ઉઠાવી શકે છે.આ ટ્રેનમાં 25 ગામના લોકો લગભગ છેલ્લા 73 વર્ષથી ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે.વાસ્તવમાં આ ટ્રેનને ભાખડા ડેમની જાણકારી માટે ચલાવવામાં આવે છે જેના થકી દેશની ભાવી પેઢી એ જાણી શકે કે દેશનો સૌથી મોટો ભાખડા ડેમ કેવી રીતે બન્યો છે.

દેશની આવનારી પેઢી એ જાણી શકે કે, દેશનો સૌથી મોટો ભાખડા ડેમ ક્યા પ્રકારે બન્યો હતો. તેમને એ જાણવા મળે કે ડેમ બનાવવામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.આ રેલવે ટ્રેકને બનાવવા માટે પહાડોને કાપીને દુર્ગમ રસ્તો બનાવવામાં આવ્યો હતો.આ ટ્રેનને પ્રથમ વખત 1949માં ચલાવવામાં આવી હતી.આ ટ્રેનમાં લગભગ 300 લોકો દરરોજ મુસાફરી કરે છે.આ ટ્રેનનો સૌથી વધુ લાભ વિદ્યાર્થીઓને મળે છે

ભાખડા વ્યાસ મેનેજમેન્ટ બોર્ડ આ ટ્રેનનું સંચાલન કરે છે.આ ટ્રેન નાંગલથી સવારે 7:05 વાગ્યે ઉપડે છે અને લગભગ 8:20 વાગ્યે આ ટ્રેન ભાખડાથી નાંગલ તરફ પાછી આવે છે. ફરી એકવાર બપોરે 3:05 વાગ્યે તે નાંગલથી ઉપડે છે અને સાંજે 4:20 વાગ્યે તે ભાકરા ડેમથી નાંગલ પરત આવે છે.

અમારા મંત્રીને હટાવ્યા એટલે પત્યું !! સૌરાષ્ટ્રમાં ઉકળતો ચરુ : ધડાકા-ભડાકાના એંધાણ
અમદાવાદમાં પકડાયેલા 1800 કરોડના ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં SITની રચના, ED,ITને રિપોર્ટ કરાશે
બિહારમાં ગેંગવોરમાં 5ની હત્યા કરનારા 4 શાર્પ શૂટર સુરતથી ઝડપાયા
નડ્ડાની ટીમ પર શાહ નહીં મોદીનો સિક્કો : શાહના વફાદારો હવે સાઈડલાઈન, બદલાઈ છે ધરી
સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ
Share This Article
Facebook Email Print
Previous Article રમઝાન ઈદના દિવસે પોલીસ કમિશનર ઓફિસની પાછળ સગીરની ચાકૂના ઘા મારી હત્યા
Next Article ભાજપના હાઈકમાન્ડે રાજ્યના નેતાઓને માહોલ ખરાબ કરવાની સૂચના આપી છેઃ અશોક ગહેલોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up