By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં અલ્પસંખ્યક કોઈ અન્ય દેશો કરતા સૌથી વધુ સુરક્ષિત : ઉપરાષ્ટ્રપતિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > ભારતમાં અલ્પસંખ્યક કોઈ અન્ય દેશો કરતા સૌથી વધુ સુરક્ષિત : ઉપરાષ્ટ્રપતિ
Breaking NewsGeneralNationalPolitics

ભારતમાં અલ્પસંખ્યક કોઈ અન્ય દેશો કરતા સૌથી વધુ સુરક્ષિત : ઉપરાષ્ટ્રપતિ

HM News
Last updated: 24/02/2020 3:00 PM
HM News
5 years ago
Share
SHARE

હૈદરાબાદ,તા.૨૪
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ધર્મનિરપેક્ષતા દરેક ભારતીયના લોહી અને નસમાં છે. લઘુમતી કોમ ભારતમાં જેટલી સુરક્ષિત છે, એટલી વિશ્ર્વના અન્ય કોઇ દેશમાં નથી. આ સાથે એમણે વિશ્ર્વના કેટલાક દેશોને ભારતની આંતરિક બાબતો માટે સલાહ ન આપવા જણાવ્યું હતું.
વારંગલની એક શિક્ષણ સંસ્થાની પ્લેટિનમ જ્યુબિલીના ઉદ્ધાટન વખતે નાયડુએ જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ ‘વસુધૈવ કુટુંબકમ’ની છે. દરેક ધર્મને આદર આપવો અને સર્વ ધર્મ સમભાવ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે અને આપણે એને અનુસરતા રહેવું જોઇએ.
એમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાતા કી જયનો અર્થ ૧૩૦ કરોડ ભારતીયોનો જય થાય છે. કેટલાક દેશો ભારતના આંતરિક મામલામાં દખલ દેતા થયા છે, ત્યારે નાયડુએ એમને જણાવ્યું હતું કે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત પોતાના આંતરિક મામલાનો ઉકેલ લાવી શકે એમ છે.
વિકાસ માટે શાંતિ પ્રાથમિક જરૂરિયાત છે. લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અને આંદોલન કરવાનો હક છે, પણ એ શાંતિપૂર્ણ રીતે થવો જોઇએ. એમણે યુવાનોને સકારાત્મક વિચારો કેળવવાની અને સર્જનાત્મક કાર્યો કરવાની સલાહ આપી હતી.
દેશમાં માતૃભાષાઓના ઉપયોગમાં વધારો થાય એ માટે એમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને રોજગારમાં એનો સમાવેશ કરવાની અપીલ કરી હતી.

જીવનજરૂરિયાતની આઇટમોને પણ જીએસટીમાં સામેલ કરવામાં આવતાં વેપારીઓની રોડ પર ઊતરવાની ધમકી
વિશ્વનાં 53 કરોડ ફેસબૂક યુઝર્સનો ડેટા ટેલિગ્રામ પર વેચવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ
EXPLAINED : શું છે હિંડનબર્ગ રિસર્ચ? તેનો રિપોર્ટ જાહેર થતા જ કંપનીઓના શૅર કેમ ડૂલ થઈ જાય છે
નવસારી નગરપાલિકા ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલે ‘વિજય સંકલ્પ’ રેલી યોજી
યુપી ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીનો ધાર્મિક અવતાર ચર્ચાનો વિષય બન્યો, ભાજપે કાર્ટૂન શેર કરીને કોમેન્ટ કરી
TAGGED:ઉપરાષ્ટ્રપતિભારતમાં અલ્પસંખ્યક
Share This Article
Facebook Email Print
Previous Article મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આપ્યુ રાજીનામુ
Next Article મૌજપુરમાં સીએએ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ, હેડ કોન્સ્ટેબલનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up