મધ્યપ્રદેશના ઇન્દોરમાં કરોરોનાએ કહેર વર્તાવી દીધો છે.અહીં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 213 પહોંચી ગઇ છે.ઇન્દોરમાં પણ કેટલાંય ડૉકટર્સ કોરોનાથી સંક્રમિત છે.શહેરમાં એક સંક્રમિત ડૉકટર્સનું મોત થયું છે.જિલ્લાના સીએમએચઓ એ તેની પુષ્ટિ કરી દીધી છે.તેની સાથે જ ઇન્દોરમાં મૃતકોની સંખ્યા 22 પર પહોંચી ગઇ છે.આખા મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે.
સ્વાસ્થ્ય વિભાગના સીએમએચઓ ડૉ.પરવીણ જડિયાએ કહ્યું કે ડૉ.શત્રુઘ્ન પંજવાની થોડાંક દિવસ પહેલાં જ કોરોના પોઝિટીવ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.ત્યારે જ તેમની તબિયત વધુ લથડી અને આજે સવારે તેમનું મોત થઇ ગયું.પંડવાની ઇન્દોરના રૂપરામ નગરમાં રહેતા હતા.
ડૉકટરનું પહેલું મોત
કોરોના મહામારીના લીધે ઇન્દોરને સંપૂર્ણપણે સીલ કરી દેવાયું.પ્રદેશમાં પહેલી વખત કોઇ ડૉકટરનું મોત થયું છે.ડૉકટરનું મોત થયા બાદ ઇન્દોરમાં સ્વાસ્થ્યકર્મી અને સાવચેતી રાખી રહ્યા છે.કોરોના પીડિત સારવારમાં ડૉકટર અને નર્સિંગ સ્ટાફોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.કહેવાય છે કે કોરોના દર્દીઓની સારવાર દરમ્યાન જ તેઓ સંક્રમિત થયા હતા.
તો બીજીબાજુ મધ્યપ્રદેશમાં બે આઇપીએસ અધિકારી બુધવારના રોજ કોરોના વાયરસ સંક્રમિત મળ્યા.એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમાંથી એક અધિકારી ભોપાલમાં પદસ્થ છે.જ્યારે બીજા અધિકારી ઇન્દોરમાં પદસ્થ છે. તેમણે કહ્યું કે જો કે તેમાંથી એક અધિકારીનો બીજો તપાસ રિપોર્ટ સારો આવ્યો છે.