By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતીય વૈજ્ઞાનિકનો દાવો: 21 જૂનનું સૂર્યગ્રહણ કોરોના વાઈરસનો કરશે નાશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતીય વૈજ્ઞાનિકનો દાવો: 21 જૂનનું સૂર્યગ્રહણ કોરોના વાઈરસનો કરશે નાશ
GeneralNational

ભારતીય વૈજ્ઞાનિકનો દાવો: 21 જૂનનું સૂર્યગ્રહણ કોરોના વાઈરસનો કરશે નાશ

HM News
Last updated: 16/06/2020 10:38 AM
HM News
5 years ago
Share
SHARE

ચેન્નાઈ : વિશ્વભરમાં કોરોના વાઈરસે હાલ હાહાકાર મચાવી રહ્યો છે.પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યાં છે.તે વિશ્વભરના દેશો માટે ચિંત્તાનું કારણ બન્યું છે. આ માહોલમાં ચેન્નાઈના એક વૈજ્ઞાનિકે સૂર્યગ્રહણ અને કોરોના વાઈરસ વચ્ચે સંબંધ હોવાનો દાવો કર્યો છે.

સાયન્ટિસ્ટ કે.એલ.સુંદર કૃષ્ણાનો દાવો છે કે ગઈ 26 ડિસેમ્બરે થયેલા સૂર્યગ્રહણનો કોરોના વાઈરસ સાથે સીધો સંબંધ છે.અને આગામી 21 જુને થનારા સૂર્યગ્રહણના દિવસે કોરોના વાઈરસ પૂરો થઈ જશે.સુંદર કૃષ્ણાએ કહ્યું કે સૂર્યગ્રહણ પછી ઉત્સર્જિત વિખંડન ઉર્જા (ફિશન એનર્જી)ના લીધે પહેલા ન્યુટ્રોનના કણ સાથેના સંપર્ક પછી કોરોના વાઈરસ તૂટી ગયો છે.ગઈ તા.26 ડિસેમ્બરે થયેલા છેલ્લા સૂર્યગ્રહણ પછી સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થયો છે.

ગ્રહો વચ્ચે ઊર્જાના ફેરફારના પગલે આ વાઈરસ ઉપરી વાયુમંડળમાંથી ઉત્પન્ન થયા છે.આ ફેરફારના લીધે ધરતી પર યોગ્ય વાતાવરણ બન્યુ.આ ન્યૂટ્રોન સૂર્યની સહુથી વધારે વિખંડન ઊર્જામાંથી નીકળી રહ્યાં છે.ડો. કે.એલ.સુંદર કૃષ્ણાએ જણાવ્યું કે બાયો મોલેકયુલ સંરચના પ્રોટિનનો મ્યુટેશન પ્રોસેસ સહુ પહેલાં ચીનમાં શરૂ થયો હશે. આ એક પ્રયોગ અથવા જાણી જોઈને કરાયેલો પ્રયાસ પણ હોઈ શકે છે.આગામી સૂર્યગ્રહણ કોરોના વાઈરસને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. સૂર્યકિરણોની તીવ્રતા વાઈરસને નિષ્ક્રિય કરી દેશે.

સુંદર કૃષ્ણાએ જણાવ્યું કે આપણે એનાથી ગભરાવાની જરૂરનથી.આ સૌરમંડળમાં થનારી પ્રાકૃતિક હલચલ છે.સૂર્યકિરણ અને સૂર્યગ્રહણ આ વાઇરસનો પ્રાકૃતિક ઇલાજ છે.નોંધનીય છે કે 21 જુને સૂર્યગ્રહણ છે. જ્યોતિષશાસ્ત્રના મતે,આ ઘટના અનેક જ્યોતિષીય બનાવોમાં ફેરફારનું નિમિત્ત બનશે. 21 જુને રવિવારે સૂર્યગ્રહણ સવારે લગભગ 10.20 વાગ્યે શરૂ થશે,જે બપોરે 1.49 વાગ્યે પૂરૂં થશે.એનું સૂતક 12 કલાક પહેલા 20 જુને રાત્રે 10.20 વાગ્યે શરૂ થશે,જે ગ્રહણ સાથે જ પૂરૂં થશે.આ ગ્રહણ ભારત, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યુએઇ, ઇથિયોપિયા અને કાંગો વગેરે દેશોમાં જોવા મળશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને કરોડોનું નુકસાન, વાવાઝોડા બાદ ભાવ ગગડ્યા
દમણ પ્રશાસને મોહનગામને જોડતો ડામર રોડ ખોદી કાઢ્યો
સુરત જિલ્લા ભાજપના નેતા સુરેશ પટેલના પુત્રી-જમાઈએ લોન લઇ 10 કરોડનું કરી નાખ્યું !! : નોંધાઈ પોલીસ ફરિયાદ
800 કરોડના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીના રિમાન્ડ થયા નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ
શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત બેગ્લુરુમાં ડ્રગ લેતાં પકડાયો
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાએ ભારતને સોંપ્યા 100 વેન્ટિલેટર
Next Article સૌથી વધુ વિદેશી રોકાણ મેળવવામાં ભારત નવમા ક્રમાંકે પહોંચ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up