જી૨૦ દેશોના વિદેશપ્રધાનોના બાલીમાં આયોજિત સંમેલન દરમ્યાન જયશંકર અને વાંગ વચ્ચે વાતચીત થઈ હતી વિદેશપ્રધાન એસ.જયશંકરે ગઈ કાલે બાલીમાં ચાઇનીઝ વિદેશપ્રધાન વાંગ યી સાથે વાતચીત કરી હતી,જેમાં જયશંકરે પૂર્વીય લદાખમાં વાસ્તવિક અંકુશરેખા સહિત વિવાદના તમામ મુદ્દાઓનો શક્ય એટલો વહેલો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.સાથે જ તેમણે ચીનને મેસેજ પહોંચાડ્યો હતો કે દ્વિપક્ષીય સંબંધો સન્માન,સંવેદનશીલતા અને હિતો પર આધારિત હોવા જોઈએ.જી૨૦ દેશોના વિદેશપ્રધાનોના બાલીમાં આયોજિત સંમેલન દરમ્યાન જયશંકર અને વાંગ વચ્ચે વાતચીત થઈ હતી.તેઓ બન્ને સરહદના મુદ્દાના સમાધાન માટે શક્ય એટલા વહેલા બન્ને દેશોની આર્મી વચ્ચેની વાતચીતના આગામી તબક્કા માટે આતુર હોવાનું જણાવવામાં આવ્યું છે.