[weather_data]
Breaking News
TRENDING NEWS

ભારત જ નહી વિદેશોમાં પણ અનેક સ્થળો છે જ્યાં થઇ રહ્યો છે ધર્મો વચ્ચે વિવાદ : વાંચો અંત્યંત રસપ્રદ સ્થળો વિષે

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી, તા. 17 મે 2022, મંગળવાર : અયોધ્યામાં રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે દેશના એક મોટા અને ખૂબ જૂના ધાર્મિક સ્થળ વિવાદનો અંત આવી ગયો છે.લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.પરંતુ એ રાહતનો શ્વાસ નહોતો,તે બાદ પણ દેશમાં અન્ય કેટલાક ધાર્મિક સ્થળોને લઈને વિવાદની ચિનગારી દેખાવા લાગી છે.આ માત્ર ભારતમાં નહી પણ સમગ્ર વિશ્વમાં બની રહ્યુ છે,જ્યાં ઘણા જાણીતા ધર્મસ્થાનો પર બે ધર્મો વચ્ચે ટકરાવ થયો છે અને પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે.

દુનિયાની સાત અજાયબીઓમાની એક આગ્રાનો સુંદર તાજમહેલ,જે પોતાની સુંદરતા અને બનાવટ તેમજ કારીગરીને લઇને ચર્ચામાં રહે છે,તેના કરતા હવે હિન્દુ મિસલમાન લોકોમાં આપસી મતભેદ વધી ગયો છે.પોતપોતાના વિવાદોના કારણો પણ અલગ છે.મુસલમાનોનું માનવુ છે કે,શાહજહાએ પોતાની પત્નીના પ્રેમની નિશાનીના રૂપમાં 17 મી સદીમાં આ તાજમહેલ બંધાવ્યો હતો.

હિન્દુઓનું શું કહેવુ છે?

આગ્રાના તાજમહેલને લઇને હિન્દુઓનો દાવો છે કે, તાજમહેલ એક શિવ મંદિર હતુ.જેના માટે આગ્રા કોર્ટે 2015માં એક પીટિશન પણ દાખલ કરી હતી.

કુતુબ મીનાર

12 મી શતાબ્દીમાં ઇલ્તુતમિશે બનાવેલી મિનારના રૂપમાં કુતુબ મીનાર ઓળખાય છે.તો ઘણા હિન્દુઓ માને છે કે, આ કુતુબ મીનાર એ એક સમયમાં હિન્દુ ધર્મનું પ્રસિદ્વ મંદિર હતુ.જેમાં મીનારના હિન્દુ ખગોળશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગની એક પ્રયોગશાળા હોવાનો પણ દાવો કરવામાં આવે છે.

ગિરનાર મંદિર:

ગિરનાર મંદિર એ ગુજરાતના જૂનાગઢમાં જૈન ધર્મનું ખૂબ જ લોકપ્રિય મંદિર છે.જ્યાં શ્રદ્વાણુઓ દર્શને આવતા રહે છે, આ સ્થાનને લઇને પણ વાદ વિવાદ છે.તે ધર્મના લોકો માને છે કે, તીર્થંકર નેમિનાથને ત્યાં મોક્ષ પ્રાપ્ત થયો હતો.પરંતુ હિંદુ ધર્મના કેટલાક લોકો માને છે કે, આ સ્થળ વર્ષો જૂની હિંદુ માન્યતાનું પ્રતિક છે તેમનું માનવુ છે કે, જ્યાં ભગવાન દત્તાત્રેય સ્વયં રહે છે.જૈનોએ તેમના ધર્મનો ફેલાવો કરવા માટે ત્યાં ગેરકાયદેસર રીતે મંદિર બનાવી લીધા છે.

પ્રહલાદપુરી મંદિર

આ મંદિર પાકિસ્તાનના મુલતાન શહેરમાં હતું. એવું કહેવાય છે કે, તે હિરણ્યકશિપુના પુત્ર ભક્ત પ્રહલાદ દ્વારા નરસિંહ અવતારના સન્માનમાં બનાવવામાં આવ્યું હતું પરંતુ 1992 માં, જ્યારે ભારતમાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી,ત્યારે પાકિસ્તાનના લોકોએ આ પ્રાચીન હિન્દુ મંદિરને નષ્ટ કરી દીધું હતુ.

જેરુસલેમ

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધે છેલ્લા કેટલાક સમયથી ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે.સીરિયા હોય કે ગાઝા પટ્ટી,આ લડાઈની અસર સમગ્ર મધ્ય પૂર્વમાં જોવા મળી રહી છે.

જેરુસલેમ ઇઝરાયેલમાં સ્થિત એક નાનું શહેર છે, જે એક નહીં પરંતુ ત્રણ ધર્મોમાં તેની ધાર્મિક આસ્થા પુજનિય છે, યહૂદીઓના ધાર્મિક સ્થળ ‘જેરુસલેમ’ને અરબી ભાષામાં અલ-કુદુસ કહેવામાં આવે છે.એવું કહેવાય છે કે ખ્રિસ્તીઓના મસીહા ઇસુનો જન્મ અહીં થયો હતો.તે જન્મથી યહૂદી હતા.તે જ સમયે,તેમને અરબીમાં ઇસ્લામના પયગંબર પણ માનવામાં આવે છે.એટલા માટે આ ત્રણેય ધર્મો તે ધાર્મિક સ્થળ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે.

તારીખાનેહ ​​મંદિર-મસ્જિદ (ઈરાન)

ઈરાનના દામઘાનમાં સ્થિત આ પારસી સૂર્ય મંદિર છે, જે ત્યાંના માઇનોરિટી કમ્યુનિટી માટેનું ધાર્મિક સ્થળ છે,પરંતુ 8મી સદીમાં પારસી રાજા સસ્નિદની સત્તાના પતન પછી તેને તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવી હતી.આ હિસાબે તેને ઈરાનની સૌથી જૂની મસ્જિદ માનવામાં આવે છે.સમયાંતરે પારસીઓ આ મંદિરને પાછું મેળવવાનો પ્રયત્ન પણ કરતા જોવા મળ્યા છે,પરંતુ સંખ્યા ઓછી હોવાના કારણે તેમને હંમેશા દબાઇ દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles