By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારત-નેપાળ સરહદ પર તણાવ,કાલી નદીની બંને બાજુ લોકોની અવરજવર બંધ, સેના તૈનાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારત-નેપાળ સરહદ પર તણાવ,કાલી નદીની બંને બાજુ લોકોની અવરજવર બંધ, સેના તૈનાત
GeneralNational

ભારત-નેપાળ સરહદ પર તણાવ,કાલી નદીની બંને બાજુ લોકોની અવરજવર બંધ, સેના તૈનાત

HM News
Last updated: 19/06/2020 1:33 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી: ભારત-નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ વધુ વકરતો જાય છે.આ દિવસોમાં નેપાળ બોર્ડર પર ખૂબ જ ચોંકાવનારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે.પ્રથમ વખત, ધરચુલાથી 55 કિમી દૂર માલ્પા નજીક,નેપાળી સેનાએ કાલી નદીના કાંઠે હેલિપેડ બનાવ્યું છે,જ્યારે ઘણા તંબુઓ પણ સ્થાપિત કર્યા છે.ડઝનેક નેપાળી સેનાના જવાનો તેમનામાં તૈનાત છે.બંને તરફની અવરજવર માટે ઝૂલતા પૂલ બન્યા છે.એ પૂલને બંધ કરી દેવામાં આવ્યા હતા.સરહદે ચોકીઓ અપડેટ કરવાની કવાયત પણ નેપાળે શરૂ કરી હતી.ખાસ તો જે વિવાદિત સ્થળો છે તેની આસપાસમાં નેપાળની સૈન્યની હિલચાલ વધી હતી.બંને તરફ જવાનો પેટ્રોલિંગ કરતા નજરે ચડી રહ્યા છે.

નેપાળ પોલીસે કહ્યું હતું કે અત્યારે આર્મી નવા રાજકીય નકશાના આધારે સર્વેક્ષણ કરશે.તે પછી નવી સરહદ અપડેટ કરવાનું કામ હાથ ધરશે.માલપા નજીક નેપાળની સરહદમાં પોલીસ અને સૈન્યના ટેન્ટ લાગી ગયા હતા.નેપાળ સૈન્ય ભારતીય સરહદની નજીક આવેલાદંગબંગમાં રોડ બનાવવાનું કામ પણ શરૂ કરશે.નવી સિક્યુરિટી પોસ્ટની પણ કામગીરી શરૂથઈ છે.રાજકીય નકશાને પ્રમુખની મંજૂરી મળતા જ નેપાળનું લશ્કર હરકતમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નેપાળની સંસદના ઉપલા ગૃહે વિવાદિત નકશો મંજૂર કર્યો હતો.એ પછી નેપાળના રાષ્ટ્રપતિએ પણ સહી કરી દીધી હતી.નેપાળની સંસદે વિવાદિત રાજકીય નકશાને થોડા દિવસ પહેલાં મંજૂરી આપી હતી.એ પછી ઉપલા ગૃહમાં એ બિલ રજૂ થયું હતું.ઉપલા ગૃહે પણ નેપાળના નવા નકશાને મંજૂરી આપી દીધી હતી.વિવાદિત નકશાને મંજૂરી આપી તે સાથે જ નેપાળ સૈન્યની સરહદી ગતિવિધિ તેજ બની ગઈ હતી.બિલમાં ભારતના ત્રણ મહત્વના પ્રદેશો નેપાળે તેના નકશામાં બતાવવાની જોગવાઈ કરી છે,તે સાથે જ સરહદે ચોકીઓ અપડેટ કરવાની કવાયત પણ શરૂ થઈ હતી.

વડગામમાં ખેતરની જમીન માલિકી મુદ્દે થયેલા હુમલાથી હિન્દુ સમાજ લાલઘૂમ
દિલ્હી: જાફરાબાદ હિંસા મામલે જામિયાની છાત્રાની ઘરપકડ, તોફાનોનું કાવતરૂં ઘડવાનો આરોપ
ઓમાનથી આવવા ઉમરગામના માછીમારોએ તંત્રની મદદ માગી
ભારતમાં કેમ 6500 ધનિકો દેશ છોડવાની તૈયારી કરી રહ્યાં છે? જાણો તેનું કારણ
ટાઈ ઈસુ ખ્રિસ્તના ક્રોસનુ પ્રતિક છે, અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનોને નેકટાઈ સામે વાંધો પડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article શક્તિશાળી અમેરિકા ભારત ભણી ઝુક્યુ, ખંધા ચીનની કરતૂતોનો દુનિયા સામે કર્યો ખુલાસો
Next Article લદાખમાં LAC પર તણાવ પણ સેના પાસે 45 ચીજ વસ્તુઓનો અભાવ, 10 દિવસથી વધુ ભારત લડી પણ નહીં શકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up