(પીટીઆઇ) ચેન્નાઇ, તા. ૧૯ : ભારત સ્થિત અમેરિકન દૂતાવાસ આગામી ૧૨ મહિનામાં આઠ લાખ વિઝા પ્રક્રિયા હાથ ધરશે તેમ એક વરિષ્ઠ રાજદ્વારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.પત્રકારોને સંબોધતા અમેરિકન દૂતાવાસમાં કોન્સ્યુલર બાબતોના પ્રધાન ડોનાલ્ડ એલ હેફિને જણાવ્યું હતું કે આગામી ૧૨ મહિનામાં આઠ લાખ વિઝા ઇશ્યુ કરવામાં આવશે.વિઝા આપવા માટે અનેક સ્લોટ ખૂલ્લા મૂક્યા છે.એચ અને એલ વિઝાની વધતી જતી માગને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.એક પ્રશ્રના જવાબમાં હેફલિને જણાવ્યું હતું કે કોરોના મહામારી અગાઉ ૧૨ વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા હતાં.તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૩ એથવા ૨૦૨૪માં વિઝાની સંખ્યા કોરોના અગાઉના સ્તરે પહોંચી જશે.હેફલિને પત્રકારોને જણાવ્યું હતું કે કોરોના પહેલા ૧૨ લાખ વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા હતાં.અમને આશા છે કે ૨૦૨૩-૨૪માં ફરીથી આટલી સંખ્યામાં વિઝા ઇશ્યુ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વિઝાની કામગીરીમાં ૫૦ ટકા સ્ટાફ રોકાયેલો હતો. જો કે હવે ઓફિસોમાં સ્ટાફ વધારવામાં આવી રહ્યો છે.અમે હૈદરાબાદમાં એક નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છીએ. અમે નવી દિલ્હી, મુંબઇમાં સ્ટાફ વધારી રહ્યા છે.કોલકાતામાં અગાઉથી જ ૧૦૦ ટકા સ્ટાફ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.વિઝા અરજકર્તાઓ માટે હેલ્પલાઇન શરૃ કરવા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં કાઉન્સેલર પ્રધાને જણાવ્યું હતું કે તમામ કોન્સ્યુલેટના ફોન નંબર આપવામાં આવેલા છે.આ ઉપરાંત અરજકર્તા ઇમેઇલ દ્વારા પણ સંપર્ક સાધી શકે છે.આવનારા સપ્તાહોમાં સ્ટુડન્ટ વિઝા અંગે વધુ જાહેરાત કરવામાં આવી શકે છ.