By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારત હિંદ મહાસાગરમાં છ નવી પરમાણુ સબમરીન શામેલ કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારત હિંદ મહાસાગરમાં છ નવી પરમાણુ સબમરીન શામેલ કરશે
GeneralNational

ભારત હિંદ મહાસાગરમાં છ નવી પરમાણુ સબમરીન શામેલ કરશે

HM News
Last updated: 21/02/2020 5:01 PM
HM News
5 years ago
Share
SHARE

ન્યુ દિલ્હી,તા.૨૧
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન તરફથી સતત વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય નૌસેનાએ તેની સંરક્ષણ સજ્જતા વધારી દીધી છે. ભારત પોતાના નૌકાદળની તાકાત વધારવા માટે છ પરમાણુ સંચાલિત સબમરીન નેવીમાં સમાવિષ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. અંદાજે ૧.૨ લાખ કરોડના આ સોદાને સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપી શકે તેમ છે.
એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટમાં નેવી માટે છ પરમાણુ સંચાલિત સબમરીન બનાવવામાં આવશે. જે પરંપરાગત શસ્ત્રો જેવા કે ટોર્પિડોઝ અને મિસાઇલોથી સજ્જ હશે. આ સબમરીનથી પરમાણુ મિસાઇલો છોડવામાં આવશે કે કેમ તે હજી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.નથી.
ડીઆરડીઓનાં સૂત્રોના જણાવ્યાં અનુસાર, જો આ બધું પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલે તો આગામી ૧૦ વર્ષમાં આ પરમાણુ સંચાલિત સબમરીન ભારતીય નેવીમાં જોડાશે. આ પ્રોજેક્ટનો પ્રારંભિક ડિઝાઇન તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. ડીઆરડીઓના સહયોગથી નૌકા ડિરેક્ટોરેટ ડિરેક્ટોરેટ હવે આ સબમરીનની જટિલ અને વિગતવાર ડિઝાઇન તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
૨૦૧૫ માં, મોદી સરકારે ભારતીય નૌકાદળ માટેના બાકી પ્રોજેક્ટને આગળ ધપાવતા છ પરમાણુ સંચાલિત એટેક સબમરીન (એસએસએન) બનાવવાની મંજૂરી આપી હતી. આ સબમરીન દક્ષિણ ભારતમાં વિશાખાપટ્ટનમના શિપબિલ્ડીંગ સેન્ટરમાં બનાવવામાં આવશે. જો કે, અરિહંત વર્ગની બીજી સબમરીન અહીં પહેલેથી જ બનાવવામાં આવી રહી છે.
ભારતીય નૌકાદળ હાલમાં આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર સાથે પરમાણુ ઉર્જા સંચાલિત કુલ ૧૫ સબમરીન ચલાવે છે. આઈએનએસ ચક્રને રશિયા તરફથી ૧૦ વર્ષની લીઝ પર લેવામાં આવ્યો છે જ્યારે અરિહંત સબમરીન ભારતમાં બનાવવામાં આવી છે. આ બંને સબમરીન પરમાણુ મિસાઇલ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પ્રોજેક્ટમાં ભારત પાસે અરિહંતના નિર્માણથી સંબંધિત અનુભવ હશે. આ એસએસએન વર્ગ સબમરીન ખૂબ ઉંડે સુધી ઉતરવામાં સમર્થ હશે. જ્યારે તેમનો સોનાર અને રડાર પહેલાં કરતાં વધુ અદ્યતન હશે. આ સબમરીન ઉર્જા ઉત્પન્ન કરવા માટે નવા તકનીકી પરમાણુ રિએક્ટરથી સજ્જ હશે.

સોનું 45 હજારના નવા શિખરે, શો- રૂમો સૂમસામ
4થી લહેરનો સામનો કરવા 3 જમ્બો સેન્ટરો સજ્જ
કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો: રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત ત્રણ ટ્રસ્ટની થશે તપાસ
ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી
જાપાનમાં લોકોને એક ગ્લાસ વધારે દૂધ પીવા માટે કરાઈ વિનંતી, અભિયાનમાં PMએ પણ ઝંપલાવ્યું
TAGGED:પરમાણુ સબમરીન શામેલ
Share This Article
Facebook Email Print
Previous Article ચીન,તુર્કી,મલેશિયાએ પાકિસ્તાનને બચાવ્યુ,જૂન સુધી મુદ્દત મળી
Next Article ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખર આઝાદ આજે નાગપુરમાં સંઘ કાર્યાલય બહાર તિરંગો ફરકાવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up