By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાવનગર જિલ્લાના 11884 કુતરાને એનિમલ એમ્બ્યુલન્સ સેવા અપાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાવનગર જિલ્લાના 11884 કુતરાને એનિમલ એમ્બ્યુલન્સ સેવા અપાઇ
GeneralGujarat Now

ભાવનગર જિલ્લાના 11884 કુતરાને એનિમલ એમ્બ્યુલન્સ સેવા અપાઇ

HM News
Last updated: 30/04/2022 9:09 AM
HM News
3 years ago
Share
SHARE

ભાવનગર : એપ્રિલના અંતિમ શનિવારને પશુ ચિકિત્સક દિવસ તરીકે મનાવાય છે.૧૯૬૨ નિઃશુલ્ક પશુ સારવાર માટે ફરતી એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર જિલ્લાના ૧૧૮૮૪ કુતરાને ઉપરાંત ગાય, ભેસ અન્ય પશુઓને પણ સારવાર અપાઇ છે.આ દિવસે તાલીમ, રસીકરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.વિશ્વભરમાં પ્રતિ વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે, વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતાં પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ સન્માનિત કરવામાં આવે છે.

આ વર્ષે ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે.જે અંતર્ગત વિવિધ સંગોષ્ટી, તાલીમ, રસીકરણ જેવાં વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત સરકાર અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંયુક્ત ઉપક્રમે હાલમાં ૩૭ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે.જે સવારના ૮ થી રાતના ૮ સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે અસહારા પશુઓને સેવા પુરી પાડે છે.ભાવનગર જિલ્લામાં ૧૭૦૪૯ અનાથ અને અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે.જેમાં સૌથી વધારે ૧૧,૮૮૪ રખડતા કુતરાઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કરેલ છે.

દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના તરીકે દરરોજ જુદા જુદા ગામોમાં નિશ્ચિત સમયે જાય છે અને દરેક ગામમાં ઉભા રહીને ગામના પશુ ધનને સારવાર આપે છે.ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવાં પાલતુ પ્રાણી જ નહીં પરંતુ શેરીમાં રખડતા કુતરાં કે અન્ય રેઢિયાર ઢોર તથા વન્ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઇ રહી છે.આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૪૦,૫૨૫ એનિમલને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવેલ છે.તેમજ શિડયુલ કેસમાં ગામમાં જઈને, ઘરે જઈને, વાડીએ જઈને, ખેતરે જઈને, તબેલામાં જઈને ૨૭,૯૭,૧૫૮ પશુધનને સારવાર આપવામાં આવેલ છે.અત્યાર સુધીમાં ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ સવસમાં ૨૯,૩૭,૬૮૩ પશુધન ને સારવાર આપેલ છે.જેમાં ૭૧,૦૦૦ જેટલી સર્જરી કરીને અબોલા જીવને નવજીવન આપેલ છે.તેમજ ૩૭,૬૮૪ પશુઓની સલામત રીતે પ્રસૂતિ કરાવેલ છે.

ગુજરાતમાં વધુ 5 કેસ પોઝિટિવ, આંકડો 18 એ પહોંચ્યો, CM રૂપાણીએ કહ્યું લડીશું તો જ જીતીશું
એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! પૈસા લઈ વેચાઈ રહ્યો છે તમારો એકાઉન્ટ ડેટા
સુરતમાં 800નું રેમડેસિવિર 18 હજારમાં વેચતા 3 ચીટરોને ખટોદરા પોલીસે દબોચ્યા
ઉડતું કોફિનઃ એક મહિનામાં સ્પાઈસજેટના વિમાન નવમી વખત ખામી સર્જાઈ
વાંસદામાં ૩૮ કરોડના રસ્તા ખાત મુહર્ત ધારાસભ્ય અનંત પટેલ ના હસ્તે કરાયા
Share This Article
Facebook Email Print
Previous Article ટીમાણાના શખ્સને સગીરા ઉપર દુષ્કર્મ મામલે આજીવન કારાવાસ
Next Article જિલ્લાની 5 મોડેલ સ્કૂલમાં વિનામૂલ્યે પ્રવેશ કાર્યવાહી શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up