By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભૂમિ પૂજન પહેલા જ રામલલા બની ગયાં અબજોપતિ, ટ્રસ્ટના ખાતામાં આવી આટલી મોટી ધનરાશિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભૂમિ પૂજન પહેલા જ રામલલા બની ગયાં અબજોપતિ, ટ્રસ્ટના ખાતામાં આવી આટલી મોટી ધનરાશિ
GeneralNational

ભૂમિ પૂજન પહેલા જ રામલલા બની ગયાં અબજોપતિ, ટ્રસ્ટના ખાતામાં આવી આટલી મોટી ધનરાશિ

HM News
Last updated: 05/08/2020 6:20 AM
HM News
5 years ago
Share
SHARE

5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર કમળો દ્વારા થનાર રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા જ રામલલા અબજોપતિ બની ગયા છે.દેશ દુનિયાના રામ ભક્તો સતત ટ્રસ્ટના બેન્ક એકાઉન્ટમાં પોતાની ક્ષમતા અનુસાર દાન કરી રહ્યાં છે.અયોધ્યાના ભારતીય સ્ટેટ બેન્કની સ્થાનિક શાખા અનુસાર આશા છે કે 5 ઓગસ્ટ પહેલા જ રામલલાના ખાતામાં રામભક્તો તરફથી સતત આવી રહેલા દાનના કારણે હવે તે અબજોપતિ બની ગયા છે.આ ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો બેન્કને દાન કરવાની પ્રક્રિયા વિશે પૂછપરછ પણ કરી રહ્યાં છે. દાન કરનારાઓની સંખ્યા લાખોમા છે.

ફેબ્રુઆરીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ મંદિર નિર્માણ માટે એસબીઆઇમાં ખાતુ ખોલવામાં આવ્યું હતું.જો કે તે બાદ જ દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ.તેમ છતાં રામભક્તોએ આ દરમિયાન સાડા ચાર કરોડ રૂપિયાની ધનરાશિ દાન સ્વરૂપ જમા કરાવી.આ વચ્ચે જ્યારે રામ મંદિર ભૂમિ પૂજનની તારીખ નક્કી થઇ તો તેમાં વધારો થયો.રામલલાના ખાતામાં આ તિથિના એલાન પહેલા 20 કરોડ રૂપિયા જમા હતા.

ટ્રસ્ટના કોષાધ્યક્ષ મહંત ગોવિંદ દેવ ગિરિએ જાણકારી આપતાં જણાવ્યું કે ઘણાં લોકોએ કરોડોમાં દાન આપ્યું છે.તેમાં રામકથા વાચક સંત મોરારી બાપુના આહ્વાન પર તેમના અનુયાયીઓએ ચાર દિવસમાં 18 કરોડની ધનરાશિ એકત્ર કરી છે.તેમાં ભારતમાં નિવાસ કરી રહેલા શ્રદ્ધાળુઓએ 11 કરોડનું દાન આપ્યુ છે.જે મંગળવારે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં.બાકીના 7 કરોડ વિદેશી મુદ્દારના રજીસ્ટ્રેશન બાદ આવી જશે.તેમણે જણાવ્યું કે એક લાખ સુધીનું દાન ઓનલાઇન સીધુ ખાતામાં આવી રહ્યું છે.એક લાખ રાશિનું દાન કરનારાઓની સંખ્યા ખૂબ જ મોટી છે.જ્યારે તેનાથી ઓછી રકમ દાન કરનારાઓની સંખ્યા અગણિત છે.

બેન્ક સૂત્રોએ જણાવ્યા અનુસાર દાનદાતાઓમાં 60 ટકા લોકો યુવા અને ઓછી ઉંમરના વર્ગના છે કારણ કે હજારો લોકો 1101 રૂપિયા, 501 રૂપિયા, 101 રૂપિયા સુધી દાન કરી રહ્યા છે.આ ઉપરાંત તેનાથી ઓછી રકમ પણ દાન સ્વરૂપ મળી રહી છે.

શું 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ નીકળશે ? SCએ દિલ્હી પોલીસને કહ્યું,.
317 દિવસ બાદ એક માર્ચથી કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ,કોરોનાના લીધે 24 માર્ચથી કોર્ટ બંધ હતી
ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં 7થી વધુ નવા ચહેરોઓને મળશે સ્થાન ? આ 10 મંત્રીઓના નામ લગભગ નક્કી
સુરતમાં 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફુંકાવાની આગાહી
મારૂ પેજ કોરોનામુક્ત, વેક્સિન યુક્ત સૂત્ર સાર્થક બનાવશે ભાજપના કાર્યકરો : CR પાટીલ
Share This Article
Facebook Email Print
Previous Article ભગવાન રામના મંદિર માટે કરોડોના દાનની સરવાણી, સોના અને ચાંદીની ઈંટો મળી દાનમાં
Next Article અયોધ્યા મંદીર તરફથી PM મોદીને આ ખાસ ભેટ આપવામાં આવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up