બિહારના દરભંગામાં એક પૂજારીએ મંદિરમાં પૂજા કરવા આવેલી મહિલાને માર માર્યો હતો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મંદિર સમિતિએ પુજારી સામે કાર્યવાહી કરી છે.મંદિર સમિતિ દ્વારા આ મામલાની તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.તાપસ ચાલે ત્યાં સુધી પૂજારીને મંદિરના કાર્યોમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.
દરભંગાના રાજ સંકુલમાં સ્થિત પ્રખ્યાત મા શ્યામા માઇ મંદિરના પગથિયાં પર પૂજારીએ એક મહિલાને તેના વાળ પકડીને માર માર્યો હતો.પૂજારી જયારે મહિલાને મારતો હતો ત્યારે કોઈએ આ વીડિયો બનાવ્યો હતો,જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.પુજારીનું આ કૃત્ય સોશિયલ મીડિયા પર થોડી જ ક્ષણોમાં વાયરલ થયું.મંદિરના મેનેજમેન્ટે તરત જ પૂજારીને કામ પરથી કાઢી મુક્યો હતો.જો કે મહિલા તરફથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી અને સૌથી અગત્યની વાત કે હજુ સુધી મહિલાની ઓળખ પણ થઈ નથી.
સમગ્ર ઘટના એમ છે કે, ‘મહિલા મંદિરની અંદર જઈને માતા શ્યામા માની પૂજા કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ કોવિડ ગાઈડ લાઈનના કારણે લોકોને મંદિરમાં પૂજા કરવાની મનાઈ છે.તેથી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.મહિલા મંદિરના બંધ દરવાજા ખોલવાની જીદ પર અડગ હતી.આ બાબતે વિવાદ થયો હતો.’
આ વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા મંદિરના પૂજારીએ મહિલાના વાળ પકડીને તેને માર માર્યો હતો.વિડીયોની પુષ્ટિ કરતા મંદિરના સંચાલક ચૌધરી હેમચંદ્ર રોયે કહ્યું કે, ‘કોઈપણ મહિલા સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો યોગ્ય નથી.આ મામલે તપાસ ચાલી રહી છે.’
જોકે આ સમય દરમિયાન મંદિરના મેનેજર મહિલાને પાગલ કહીને પૂજારીને બચાવવાની કોશિશમાં દેખાયા હતા,પરંતુ સવાલ એ પણ છે કે જો મહિલા પાગલ છે તો શું કોઈ પણ મહિલા સાથે આવી વર્તણૂક યોગ્ય છે?