મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન થયું છે.આજે સવારે હાર્ટ એટેકના કારણે રાજ કૌશલનું નિધન થયું હતું.મીડિયા સાથે વાત કરતાં મંદિરા બેદીના વિશેષ મિત્રે રાજ કૌશલની મોતના સમાચારની પુષ્ટિ કરી છે. રાજ કૌશલને આજે સવારે 4:30 વાગ્યે ઘરે હાર્ટ એટેક આવ્યો હતો અને પરિવારને કોઈ તબીબી સહાય મળે તે પહેલાં રાજ કૌશલનું અવસાન થયું હતું.
ચાલો તમને જણાવી દઈએ કે રાજ કૌશલ અને મંદિરા બેદીના બે સંતાન છે. રાજ કૌશલ વ્યવસાયે નિર્માતા અને સ્ટંટ ડિરેક્ટર હતા.રાજે એક અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.બોલિવૂડની અનેક હસ્તીઓએ રાજ કૌશલના મોત પર શોક વ્યક્ત કર્યો છે.રાજ કૌશલ તેની કારકિર્દીની ત્રણ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘એન્થોની કૌન હૈ’ નિર્દેશિત કર્યા છે.મંદિરા બેદી અને રાજ કૌશલની સૌ પ્રથમ 1996 માં મુકુલ આનંદના ઘરે મુલાકાત થઇ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક તરીકે કામ કરતા હતા. અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઈ.
મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999 ના રોજ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા.ખરેખર મંદિરાના માતાપિતા ઇચ્છતા હતા કે તેણી કોઈ ફિલ્મ નિર્દેશક સાથે લગ્ન કરે.પરંતુ બંનેના પ્રેમની સામે કોઈ ઉભું રહી શક્યું નહીં.