મણિપુર મુદ્દે મોદી સરકારને ઘેરવા અને લાંબી ચર્ચા માટે વિપક્ષ નવો વ્યૂહ લાવ્યો છે.વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે.કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ એક લાઈનના અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી છે.આ ઉપરાંત બીઆરએસ સાંસદ નામા નાગેશ્વર રાવે પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો.મળતી માહિતી મુજબ વિપક્ષે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ સ્પીકરને સોંપી છે.કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ એક લાઈનના અવિશ્વાસનો પ્રસ્તાવ નોટિસ સ્પીકરને સોંપ્યો.કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે સંસદના ચોમાસું સત્રનો આજ પાંચમો દિવસ છે.લોકસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે નો કોન્ફિડન્સ લાવી રહ્યા છીએ.લોકસભામાં કોંગ્રેસના વ્હિપ મનિકમ ટાગોરે કહ્યું કે અમે પીએમ મોદીના અહંકારને તોડવા માંગતા હતા.તેઓ સંસદમાં આવીને મણિપુર પર નિવેદન આપતા નથી.અમને લાગે છે કે આ છેલ્લા હથિયારનો ઉપયોગ કરવો એ અમારું કર્તવ્ય છે.કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભા મહાસચિવની ઓફિસમાં જઈને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.આ સાથે જ કોંગ્રેસે પોતાના સાંસદોને લોકસભામાં હાજર રહેવાનું વ્હિપ પણ જાહેર કર્યું છે.
કેમ ઈચ્છે છે અવિશ્વાસનો પ્રસ્તાવ
વિપક્ષ જાણે છે કે સરકાર સદનમાં સરળતાથી બહુમત સાબિત કરશે પરંતુ અવિશ્વાસના પ્રસ્તાવનો નોટિસનો સ્વીકાર થશે તો પ્રધાનમંત્રીનું ભાષણ પણ થશે.જેનાથી તમામ પાર્ટીઓને ચર્ચાની તક મળશે.આ સદનમાં સરકારને ઘેરવાનો એક વ્યૂહ છે.જો આંકડાની વાત કરીએ તો હાલ લોકસભામાં એનડીએના 335 સાંસદ છે.મોદી સરકાર વિરુદ્ધ પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 20 જુલાઈ 2018ના રોજ આવ્યો હતો.ત્યારે સરકારને 325 અને વિપક્ષને 126 મત મળ્યા હતા.

