[weather_data]
Breaking News
TRENDING NEWS

મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે : અમિતભાઈ શાહ

[updated_date] [post_views]

Table of Content

– મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે: અમિત શાહ
– મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે.આ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.પરંતુ ભૂતકાળમાં બનેલી હિંસક ઘટનાઓમાં અહીં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.અમે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.આ હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.આ હિંસાની તપાસ માટે એક શાંતિ સમિતિની રચના કરવામાં આવી રહી છે.

છેલ્લા છ વર્ષથી મણિપુર કર્ફ્યુ અને હિંસાથી મુક્ત થયું : અમિત શાહ

અમિત શાહે ઇમ્ફાલમાં જણાવ્યું હતું કે, મણિપુરમાં ભાજપની સરકાર સત્તામાં આવી ત્યારે છેલ્લા છ વર્ષથી મણિપુર કર્ફ્યુ અને હિંસાથી મુક્ત થયું છે.મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે.હિંસક ઘટનાઓ સામે આવી છે.

હિંસામાં મૃત્યુ પામેલા નજીકના સંબંધીઓને DBT માધ્યમે 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મેં 11 અલગ-અલગ પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી હતી.દરેક ક્ષેત્રના લોકો સાથે વાત કરી.મહિલાઓ સાથે પણ વાત કરી. 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના નિર્ણયને કારણે અહીં બે જૂથો વચ્ચે જાતિય હિંસા શરૂ થઈ ગઈ હતી.બંને પક્ષોએ શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે કામ કરવું જોઈએ.આ મામલે સરકાર દ્વારા રાહત પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.હિંસામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા અને મણિપુર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવશે.આ રકમ ડીબીટી દ્વારા સીધા પીડિતોને ટ્રાન્સફર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles