By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મતદાન કાર્ડ વગર પરીક્ષા ફોર્મ નહી ભરવા દેવા નર્મદ યુનિવર્સિટીની હઠ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > મતદાન કાર્ડ વગર પરીક્ષા ફોર્મ નહી ભરવા દેવા નર્મદ યુનિવર્સિટીની હઠ
GeneralSurat

મતદાન કાર્ડ વગર પરીક્ષા ફોર્મ નહી ભરવા દેવા નર્મદ યુનિવર્સિટીની હઠ

HM News
Last updated: 13/06/2022 6:55 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : વિધાનસભા,લોકસભા કે કોઇ પણ ચૂંટણી હોય તો મતદારોને મતદાન કરવા માટે ચૂંટણી પંચ એક નહીં ૧૪ માન્ય પુરાવાના આધારે મતદાન કરવાની તક આપે છે.જયારે નર્મદ યુનિવર્સિટી તો ચૂંટણી ઓળખકાર્ડ નહીં તો પરીક્ષાના ફોર્મ નહીં સ્વીકારવાના જક્કી વલણને લઇને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે કોલેજ પર આંટાફેરા મારીને પાછા આવી રહ્યા છે.

નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સોમવારથી નવુ શૈક્ષણિક વર્ષ શરૃ થવા જઇ રહ્યુ છે.ત્યારે આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાનારી પરીક્ષા માટે હાલમાં જે પરીક્ષાના ફોર્મ ભરાઇ રહ્યા છે.તે ફોર્મ સાથે વિદ્યાર્થીઓએ પોતાનું ચૂંટણી ઓળખકાર્ડ અપલોડ કર્યુ હોઇ તો જ ફોર્મ સ્વીકારી રહ્યા છે.જે વિદ્યાર્થીઓએ ચૂંટણી ઓળખકાર્ડ કઢાવ્યા નહીં હોઇ અને અપલોડ કર્યા નહીં હોઇ તેવા વિદ્યાર્થીઓ કોલેજ પર જઇને પરીક્ષાનું ફોર્મ ભરે છે,ત્યારે કોલેજ સંચાલકો યુનિવર્સિટીનો ફતવો બતાવીને પાછા કાઢી રહ્યા છે.આજે પણ અંખડ આનંદ કોલેજ સહિત ઘણી કોલેજના સંચાલકોએ ચૂંટણી ઓળખકાર્ડ ન હોવાના કારણે ફોર્મ સ્વીકારાયા ના હતા.આ કારણે વિદ્યાર્થીઓમાં નિરાશાનું મૌજુ ફરી વળ્યુ છે.

યુનિવર્સિટીના સતાધીશો,કેટલાક કહેવાતા સેનેટ અને સિન્ડીકેટ સભ્યો કે જેઓ છાશવારે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવીને ન્યાય અપાવતા હતા.તેઓ પણ ભૂર્ગભમાં ચાલ્યા જતા વિદ્યાર્થીઓ કોલેજ પર ફરી ફરીને નિરાશ થઇ રહ્યા છે.અને પરીક્ષા કેવી રીતે આપશે તેનો ડર સતાવી રહ્યો છે.વિદ્યાર્થીઓના કહેવા મુજબ ચૂંટણી ટાળે તો ચૂંટણી પંચ ૧૪ પુરાવાના આધારે મતદાન કરવા દે છે.જયારે અમારી પાસે ભલે ચૂંટણી ઓળખકાર્ડ નથી.પરંતુ બીજા પુરાવા છે તે માન્ય રાખીને પરીક્ષા ફોર્મ સ્વીકારવા જોઇએ.આ રીતે હજ્જારો વિદ્યાર્થીઓને હેરાન કરવાનો શો અર્થ છે? બીજી બાજુ ચૂંટણી તંત્ર દ્વારા ઓળખકાર્ડની કામગીરી થઇ રહી નથી.તેથી વિદ્યાર્થીઓને હાલ ઓળખકાર્ડ મળવા મુશ્કેલ છે.યુનિવર્સિટીમાં રજુઆતો કોણ કરે છે તેના પર નિર્ણયો લેવાય છે

આ ચૂંટણી ઓળખકાર્ડનો મુદ્વો સૌથી પહેલા સેનેટ સભ્ય ભાવેશ રબારીએ ઉપસ્થિત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં રજુઆત કરી હતી.પરંતુ કોઇ નિર્ણય થયો નથી.રજુઆતને લઇને તેમણે સતાધીશો પર આક્ષેપ કર્યા હતા કે યુનિવર્સિટીમાં રજુઆત કોણ કરે છે.તેના પર નિર્ણય લેવાની ફેશન શરૃ થઇ છે.પછી ભલેને હજ્જારો વિદ્યાર્થીઓ અટવાતા હોય તો પણ નિર્ણય લેવાતો નથી.જેના કારણે વિદ્યાર્થીઓ ટેન્શનમાં રહે છે.

પ્રજાની યુનિવર્સિટી તરફથી ભાજપ સરકારને ત્રિપલ A સર્ટિફિકેટ મળ્યું છે : નીતિન પટેલ
ડભોલીના એમ્બ્રોઇડરી કારખાનેદારનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
MS યુનિવર્સિટીમાં કલમ ચાલવાની જગ્યાએ દંડા વરસ્યા, વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારી : જુઓ વિડિઓ
મનરેગાના શ્રમિકોને બે માસથી નાણાં ન ચૂકવાતાં પાલનપુરમાં ધરણાં
કેજરીવાલ, AAP અને ડાબેરી પક્ષો તિરંગાથી દૂર… ભાજપ અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા કરતા રાષ્ટ્રધ્વજનો વિરોધ કેમ?
Share This Article
Facebook Email Print
Previous Article સરથાણાના ટુર ઓપરેટર અને મિત્રનું સાઢુભાઇએ સીબીઆઇના નામે અપહરણ કરી ધમકાવ્યો
Next Article સચિન કેમિકલ ગેસ દુર્ઘટનામાં NGTના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up