By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મથુરાના રીક્ષા ડ્રાઇવરને આઈટી વિભાગે રૂ. 3.47 કરોડની ટેક્સ નોટીસ ફટકારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મથુરાના રીક્ષા ડ્રાઇવરને આઈટી વિભાગે રૂ. 3.47 કરોડની ટેક્સ નોટીસ ફટકારી
GeneralNational

મથુરાના રીક્ષા ડ્રાઇવરને આઈટી વિભાગે રૂ. 3.47 કરોડની ટેક્સ નોટીસ ફટકારી

HM News
Last updated: 25/10/2021 10:22 AM
HM News
4 years ago
Share
SHARE

– કુરિયર દ્વારા પાન કાર્ડ અન્ય પાસે પહોંચી જતાં તેમણે દુરૂપયોગ કર્યો
– રીક્ષા ડ્રાઇવરે આવકવેરા ઓફિસનો સંપર્ક સાધતા કાવતરાનો પર્દાફાશ
– અપરાધીઓએ રીક્ષા ડ્રાઇવરના પાન પર જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

મથુરા : શું તમે વિશ્વાસ કરશો કે એક વ્યકિત કે જે રીક્ષા ચલાવીને પોતાનું જીવન ગુજારે છે તેને 3.47 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય.સ્વયં રીક્ષા ચાલક પ્રતાપ સિંહને પણ આવકવેરા નોટીસ જોઇને વિશ્વાસ થયો ન હતો.રીક્ષા ડ્રાઇવરને મળ્યા પછી આવકવેરા અિધકારીઓને પણ શંકા ગઇ હતી.બેંકમાં ખાતું ખોલવા માગતા પ્રતાપ સિંહે લગભગ પોતાના ઘરની પાસે આવેલા જન સુવિધા કેન્દ્ર જઇને પાન માટે અરજી કરી હતી.કેન્દ્ર સંચાલકે જણાવ્યું હતું કે એક મહિનામાં તેનું પાનકાપર્ડ આવી જશે.

જો કે તેનું પાનકાર્ડ આવ્યું ન હતું. રેકોર્ડ ચેક કરતા જાણવા મળ્યું હતું કે કુરિયર કંપનીએ આ કાર્ડ સંજય સિંગ નામના વ્યકિતને આપી દીધું હતું. તે એક સાયબર કેફે સંચાલક હતો.જો કે નિયમ અનુસાર કુરિયર કંપનીને પાન કાર્ડ સ્વયં ધારકને આૃથવા તેના સરનામે ડિલિવર કરવાનું હોય છે.રીક્ષા ચાલકે ધક્કા ખાધા તો તેને પાન કાર્ડની કલર પ્રિન્ટ આપી દેવામાં આવી હતી.રીક્ષા ચાલકને એ વાતની ખબર ન હતી કે તેના નામે કરોડો રૂપિયાનો વ્યવસાય થઇ રહ્યો છે.જે લોકા પાસે રીક્ષા ચાલકનું ઓરિજિનલ પાન કાર્ડ આવી ગયું હતું તેમણે પ્રતપ સિહના નામથી જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમણે 2018-19માં એક જ વર્ષમાં 43.44 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યુ હતું.

આવકવેરા અને જીએસટીની વચ્ચે થયેલા એમઓયુને કારણે બંને વિભાગ એક બીજાના ડેટા શેર કરે છે.આ ડેટા શેરિંગ દરમિયાન આવકવેરાના ઇન્સાઇટ સોફ્ટવેરને આ કેસ શંકાસ્પદ લાગ્યો હતો કારણકે તેમાં વધારે રકમનું ટર્નઓવર છતાં રિટર્ન ભરવામાં આવતું ન હતું.ફેબુ્રઆરી, 202માં પાનકાર્ડ ધારકને નોટિસ મોકલવામાં આવતી હતી. જે રીક્ષા ચાલક સુધી પહોંચતી જ ન હતી.પાનધારક સામે ન આવતા આવકવેરા વિભાગે સ્ક્રૂટની શરૂ કરી હતી. 43.44 કરોડ રૂપિયાના ટર્નઓવરને આધાર ગણી આઠ ટકા નફા ગણી સરચાર્જ,ટેક્સ,પેનલ્ટી સહિત અન્ય તમામ વસ્તુઓ જોડી ટેક્સની રકમ 3.47 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી.

Aryan khan Drug Case : સાક્ષી પ્રભાકરનું મોત, વાનખેડે પર લગાવ્યો હતો આરોપ
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં બિનહરીફ ચૂંટાયા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
હિંડનબર્ગનો રિસર્ચનો માર ! અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં રૂ. 40,000 કરોડથી વધુનો ઘટાડો
રાજ્ય સરકારે રક્ષાબંધનની રજા બાબતે પરિપત્ર કર્યો જાહેર, તમામ સરકારી કચેરીઓ રહેશે બંધ
ભૂ-માફિયાઓ પર લગામ લગાવવા સુપ્રીમનો નિર્દેશ,બોગસ દસ્તાવેજ અને ગેરકાયદે કબ્જા કરનારાઓ પર તૂટી પડો
Share This Article
Facebook Email Print
Previous Article પાક. પત્રકાર અરૂસાને ખુશ રાખો તો જ અમરિંદર ખુશ રહેતા
Next Article મને દુ:ખ થયું છે! ટ્વિટર પર મારા પરિવારની ગોપનીયતાનો ભંગ કરવામાં આવ્યો, મારા પિતા હિંદુ છે, માતા મુસ્લિમ હતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up