મથુરા, તા.૧૩ : વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદના સરવે પછી શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસ સતત વકરી રહ્યો છે.અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજદાર મનીષ યાદવે કોર્ટ કમિશનર મારફત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં ઈદગાહ મસ્જિદનો સરવે કરાવવાની માગણી કરી છે.મથુરા કોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને હવે કેસની સુનાવણી ૧લી જુલાઈએ થશે.હકીકતમાં અરજદાર મનીષ યાદવ, મહેન્દ્ર પ્રતાપ સિંહ અને દિનેશ શર્માએ અલગ અલગ પ્રકારની અરજીઓ કરી હતી, જેમાં કોર્ટ કમિશનર નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદની વીડિયોગ્રાફી કરાવવાની માગ કરાઈ હતી.મનીષ યાદવના વકીલ દેવકીનંદન શર્માનું કહેવું છે કે, ઈદગાહની અંદર જે શિલાલેખ છે, તેને મુસ્લિમો હટાવી શકે છે અને પુરાવાનો નાશ થઈ શકે છે. બંને પક્ષોની હાજરીમાં ત્યાં ફોટોગ્રાફી કરાવવામાં આવે અને બધા જ પુરાવા એકત્ર કરવામાં આવે.