મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા

HM News
1 Min Read

છિંદવાડા,તા.૨૦
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ફરી એકવાર મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે, મોદી સરકારે ક્યાં સર્જીકલ સ્ટ્રાઈક અને કઈ સ્ટ્રાઈક કરી? કમલનાથના આ નિવેદન બાદ વધુ એકવાર વિવાદ થાય તેવી શક્યતા છે.
છિંદવાડામાં કમલનાથ સિંહે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, શિવરાજ શ્રેયની રાજનીતિ કરે છે અને તેમનું માત્ર મોઢું જ ચાલે છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે સર્જીકલ સ્ટ્રાઈકને લઈને વધુ એકવાર સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે ભારતીય સૈન્યની કામગીરી પર જ સવાલ ખડા કર્યા હતાં. તેમને કહ્યું હતું કે, મોદીજી ધ્યાન હટાવવા માટે રાષ્ટ્રવાદ અને પાકિસ્તાનની જ વાતો કરે છે, પણ તેમને ખબર નથી કે ઈંદિરાજીની સરકારમાં ૯૦ હજાર પાકિસ્તાની સૈન્ય જવાનોએ આત્મસમર્પણ કર્યું હતું. તે પોતાની વાતો નોતા કરતા પણ રાષ્ટ્રવાદની વાતો કરતા હતાં.
કમલનાથે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મોં ચલાવવું અને દેશ ચલાવવામાં ફરક હોય છે. મોદી સરકારે ક્યાં સર્જીકલ સ્ટ્રાઈક અને કઈ સ્ટ્રાઈક કરી? મોદીજીએ કઈ સર્જીકલ સ્ટ્રાઈક કરી અને ક્યારે કરી તે દેશને જણાવવુ જોઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *