મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને હટાવવા માટે ભાજપ્ના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ઈન્દોરમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.કૈલાશે એક મોટા ખુલાશો ખેડૂત સંમેલનને સંબોધિત કરતા કર્યો હતો અને દાવો કરતા કહયું હતું કે કમલનાથ સરકારને ઉથલાવવામાં વડાપ્રધાન નરેન્દ્રમોદીની મહત્વની ભૂમિકા રહી હતી.આ વાત પહેલીવાર તેઓ આ પ્લેટફોર્મ પરથી કહી રહ્યાં હોવાનું ઉમેર્યું હતું.જોકે આ મહામંત્રીનાં ખુલાશાથી ભારે ચર્ચા થઈ રહી છે.
કૈલાશ વિજયવર્ગીયનાં આ દાવા બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસે પીએમ મોદી ઉપર તેઓ પંસદ કરાયેલી સરકારોને ખોટી રીતે હટાવે છે એવો આરોપ લગાવ્યો હતો.કૈલાશ વિજયવર્ગીયએ ભાજપ્નાં ખેડૂત સમેલ્લનમાં કહયું હતું કે તમે કોઈને કહેતા નહી.આજ સુધી મેં પણ કોઈને કહયું નથી.
આ વાત હું પહેલીવાર આ મંચ ઉપરથી કહી રહ્યો છું.કમલનાથ સરકારને ઉથલાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ભૂમિકા રહી છે નહીં કે ધર્મેન્દ્ર પ્રધાન.
ઉલ્લેખનીય છે કે જે મંચ ઉપરથી કૈલાશે આટલો મોટો દાવો કર્યો હતો તે મંચ ઉપર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોતમ મિશ્રા પણ ઉપસ્થિત હતાં.આ પહેલા જૂનામાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ કહયું હતું કે ભાજપ્નાં કેન્દ્રીય નેતૃત્વએ કોંગ્રેસ સરકારને ઉથલાવવાનું કામ કર્યું છે.
દેશમાં અનેક નેતા એવા છે જેનું નામ સંભળાય એટલે લોકોને અંદાજ આવી જાય કે,કઇક સનસન્નાટી વાળા સમાચાર આવ્યા સામે.આવા નેતાઓ દેશના તમામ પક્ષમા જોવામાં આવે છે.કોંગ્રેસ હોય કે ભાજપ તમામ પક્ષોમાં આવે બે-ત્રણ વાક યોદ્ધાઓ જરુર હોય છે અને હવે તો TV ડિબેટનો ટાઇમ છે અને ભાજપ હાલમાં હાઇટાઇમ છે માટે આવા નેતાઓની કમી ભાજપમાં પણ નથી.બસ આવા જ એક ફાયર બ્રાન્ડ બયાનો કરવા માટે કંપાયેલા ભાજપનાં નેતા દ્વારા નવો જ સનસન્નાટી મચાવતો બોમ્બ ફોડી દેવામાં આવ્યો છે.
અંદાજ તો આવી જ ગયો હશે તમને કે, વાત થઇ રહી છે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાની.કૈલાસ વિજયવર્ગીયાને અને વિવાદોને ચોલી-દમણનો સાથ છે.કૈલાશ વિજયવર્ગીયાનું નામ તેમના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં છે,પરંતુ આ વખતે આ વિવાદિત નિવેદને પક્ષની સાથે સાથે PMને પણ ફરીથી મુશ્કેલીમાં મુક્યો છે.
હકીકતમાં,મંગળવારે નવા કૃષિ બિલના વિરોધ વચ્ચે ભાજપે ઈન્દોરમાં ખેડૂત સમર્થન પરિષદ યોજી હતી. સંમેલનને સંબોધન કરતાં ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયાએ કહ્યું કે,હું આજે એક એવો ખુલાસો કરી રહ્યો છું,જેની આજ સુધી કોઈને જાણ નહોતી.વિજયવર્ગીયાએ કહ્યું કે,રાજ્યની કમલનાથ સરકારને પછાડવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની ભૂમિકા હતી.આ મામલામાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની તેમાં કોઈ ભૂમિકા નહોતી.
જો કે,જ્યારે આ મામલો વિવાદોની હદ વટાવતો જોવા મળ્યો હતો,ત્યારે વિજયવર્ગીયાની સફાઇ પણ આવી ગઇ હતી. બીલકુલ સંબોધન બાદમાં, જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિજયવર્ગીયાએ કહ્યું કે ત્યાંના લોકો જાણે છે કે તે ચોક્ક્સ મજાક હતી.મેં હળવા સ્વરમાં આ કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ વર્ષે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર ફક્ત થોડા સમયના શાસન પછી પડી હતી અને માર્ચ મહિનામાં શિવરાજ સરકારની રચના થઈ હતી. હકીકતમાં,આ વર્ષે માર્ચમાં એક સમયે કોંગ્રેસના દિગ્ગજ અને વિશ્વાસુ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર એવા 22 ધારાસભ્યો(છ મંત્રીઓ સહિત) વિધાનસભા અને કોંગ્રેસ છોડી જતા આ સ્થિતિ નિર્માણ પામી હતી.અને પરિણામે મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ ઉભું થયું હતું અને લગભગ 15 મહિનાની કમલનાથ સરકાર પડી ગઇ હતી કે પાડી દેવામાં આવી હતી.