– પ્રણવ મુખરજીનું પુસ્તક પ્રકાશિત
સ્વર્ગીય પ્રણવ મુખર્જીની આત્મકથા સતત ચચર્મિાં છે.તેમણે આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પીએમ મનમોહન સિંહની તુલના કરી છે.જેમાં તેમણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ મેળવ્યું છે જ્યારે મનમોહન સિંહને મળ્યું હતું. તેમની આત્મકથાનું વિમોચન કરવામાં આવ્યું હતું..પૂર્વ રાષ્ટ્રપતિએ તેમના પુસ્તક ધ પ્રેસિડેંશિયલ યર્સ 2012-2017માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ તેમની આત્મકથામાં લખ્યું હતું કે,તેમને આઝાદી પછીના ભારતના અનેક પ્રધાનમંત્રીઓ સાથે વાતચીત કરવાનો અને તેમને સમજવાનું સૌભાગ્ય મળ્યું હતું.તે તમામ તેમની રીતભાત,પ્રભાવ,શાસનના દ્રષ્ટિકોણની બાબતમાં અલગ હતા.તેઓ અલગ અલગ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિથી આવતા હતા. રાષ્ટ્રપતિ તરીકે જુલાઈ 2012થી મે 2014 સુધી ડો. મનમોહન સિંહ અને મે 2014થી નરેન્દ્ર મોદી સાથે જુલાઈ 2017માં સેવાનિવૃત્તિ સુધી કામ કરવાની તક મળી હતી.તેમણે આ અંગે વધુમાં લખ્યું હતું કે આ બે પીએમ સાથે કામ કર્યું તેમાં બંને માટે વડાપ્રધાન બનવાનો માર્ગ ખૂબ અલગ હતો.
ડો મનમોહન સિંહને સોનિયા ગાંધી દ્વારા પીએમ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ મોદી 2014માં ઐતિહાસિક જીત સાથે ભાજપ્નું નેતૃત્વ કરવા માટે લોકપ્રિય રીતે વડાપ્રધાન બન્યા હતા.તેઓ એક રાજનેતા હતા અને તેમના ભાજપ્ના વડાપ્રધાન પદ માટે ઉમેદવાર તરીકે નામિત કરવામાં આવ્યા હતા.તેઓ તે સમયે ગુજરાતના સીએમ હતા અને તેમણે જનતા વચ્ચે એવી છાપ બનાવી હતી જેના કારણે તેઓએ વડાપ્રધાનનું પદ પ્રાપ્ત કર્યું હતું.
2004ની ચુંટણીમાં યૂપીએની જીત બાદ કોંગ્રેસના નેતાઓના અનુરોધ બાદ પણ સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહીં અને સોનિયા ગાંધીએ ડો. સિંહનું નામ લીધું જેને અન્ય લોકોએ સ્વીકાર્યું હતું.તેઓ મૂળ રીતે એક અર્થશાસ્ત્રી હતા.તેમની પાસે દ્રઢ ઈચ્છાશક્તિ હતી જે પરમાણુ સમજૂતી વખતે જોવા મળી હતી.