પાલનપુર : બનાસકાંઠામાં મનરેગાનું કામ કરતા મજુરોના છેલ્લા બે માસથી મજુરીનાં નાણાં ન ચૂકવાતાં વડગામના ધારાસભ્ય મજુરો સાથે પાલનપુર કલેક્ટર કચેરી બહાર એક દિવસનાં પ્રતિક ધરણાં ઉપર બેસી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે તેમજ આગામી દિવસોમાં નાણાં નહી ચૂકવાય તો અચોક્કસ મુદ્દતનાં ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠામાં મનરેગામાં કામ કરતા મજુરોને છેલ્લા બે માસથી પોતાની મજુરી વેતન ચૂકવવામાં આવ્યુ નથી.જેના પગલે પાલનપુર કલેક્ટર કચેરી બહાર પાલનપુર અને વડગામના મજુરો સાથે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ અંગે વડગામના ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે બેરોજગારી અને મોંઘવારીના કાળા દોરમાં આજીવીકા અને રોટલો રળવાનું કામ ન હોય ત્યારે માણસ મનરેગામાં ચોકડી અને ખાડા ખોદવાની મજુરીએ જાય છે.જેમાં પાલનપુર અને વડગામમાં મનરેગામમાં કાળી મજુરી કરી છે.તેમના રૂ.1 કરોડનું ચુકવણુ થયુ નથી તેમજ બનાસકાંઠામાં રૂ.7.88 કરોડ ચૂકવવામાં આવ્યા નથી.કલેક્ટર,ડીડીઓ,ધારાસભ્ય સંસદ સભ્યનો પગાર નિયમીત થાય તો આ બહેનોએ કાળી મજુરી કરી જાત નિચોવી છે.તેમના રૂ.7 કરોડ ચુકવાના મુદ્દે પાલનપુર કલેક્ટર કચેરી બહાર એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે.તેમ છતાં નાણાં નહી ચૂકવાય તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતના ધરણા કરવામાં આવશે.