By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મનસુખ વસાવાના રાજીનામાને કારણે ભાજપના જ અન્ય નેતાઓનો અસંતોષ ફાટી ન નીકળે તેની ભાજપને ચિંતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મનસુખ વસાવાના રાજીનામાને કારણે ભાજપના જ અન્ય નેતાઓનો અસંતોષ ફાટી ન નીકળે તેની ભાજપને ચિંતા
GeneralGujarat NowPolitics

મનસુખ વસાવાના રાજીનામાને કારણે ભાજપના જ અન્ય નેતાઓનો અસંતોષ ફાટી ન નીકળે તેની ભાજપને ચિંતા

HM News
Last updated: 30/12/2020 10:04 AM
HM News
5 years ago
Share
SHARE

નર્મદા જિલ્લાના સાતેક જેટલાં ગામો ઇકોસેન્સિટિવ ઝોનમાં ગયાં હોવાથી સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં જમીન જવાનો ભય ફેલાયો છે.તે મુદ્દે મનસુખ વસાવાએ કેટલાંય સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે સમાધાન માટે સમય માંગ્યો હતો પરંતુ સમય ન મળતાં વસાવાએ નારાજગી દર્શાવી રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો જણાવે છે.જો કે ભાજપના જ નેતા જણાવે છે કે વસાવા પોતાના વિસ્તારમાં પોતાનું રાજકીય મહત્ત્વ ઘટતું હોવાથી નારાજ છે.પાર્ટી હાઇકમાન્ડે તેમના સમાંતર જ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાને વધુ મહત્ત્વ આપ્યું હોવાથી તેઓ પોતાના અસ્તિત્ત્વના ખતરાની ચિંતામાં છે.

નાના મગજ પર અસર થઈઃ વસાવા

આ તરફ પાટીલે વસાવા સાથે ચર્ચા કરવા માટે મહામંત્રી ભરતસિંહ પરમારને મોકલ્યા હતા તો મુખ્યમંત્રીને ઇકોસેન્સિટીવ ઝોન મુદ્દે કામ કરવા જણાવ્યું હતું અને તેને લઇને સરકારે એક બેઠક પણ યોજી હતી. જો કે આ મુદ્દે સરકારમાંથી કોઇએ કાંઇ જણાવ્યું ન હતું.આ તરફ વસાવાએ પણ જણાવ્યું કે પક્ષ મનાવશે તો પણ હું રાજીનામું પાછું ખેંચીશ નહીં. કમરમાં દુખાવને કારણે મારા નાના મગજ પર અસર થઇ હોવાથી હવે હું કામનો ભાર સહન કરી શકું તેમ નથી.

સરકાર વિરોધી વલણને કારણે રાજીનામુ આપ્યું હોવાની શક્યતા

ભાજપના સૂત્રો જ જણાવે છે કે આગામી સમયમાં મનસુખ વસાવાને પાર્ટીની ટિકીટ મળે તેમ નથી.વધુમાં તેમના સરકાર વિરોધી વલણને કારણે તેમના પર જ રાજીનામું આપવાનું દબાણ થયું હોય તે વાત પણ નકારી શકાય નહીં. વધુમાં વસાવાના જવાથી પાર્ટીને કોઇ સીધું નુક્સાન નહીં થાય અને પેટાચૂંટણી થાય તો ભાજપ ફરી જીતી પણ જાય.પરંતુ અગાઉ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની વાત કોઇ સાંભળતું નહીં હોવાનુ કહી રાજીનામું આપવાનું કહ્યું હતું તેવો જ આ કિસ્સો છે.વસાવાની નારાજગીને કારણે ઇનામદાર જેવાં પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓના દિલમાં રહેલો છૂપો રોષ ઉપલી સપાટી પર આવી જાય તો તે સ્થિતિને પહોંચી વળવું મુશ્કેલ બને તેમ હોવાથી પક્ષ વસાવાને મનાવવા પ્રયત્નો કરી રહ્યો છે.

રૂપાણીના માથે ભીંસ વધશે

આ અગાઉ ઇનામદાર મામલે અને હવે વસાવાને કારણે પક્ષમાં આંતરિક અસંતોષ છે તેવી વાત બહાર આવી છે.આ બન્ને નેતાઓએ મુખ્યમંત્રી સાંભળતા નથી તેવાં અંદરના કારણોસર રાજીનામું આપ્યું હોવાની વાતો થઇ રહી છે,તેથી મુખ્યમંત્રી આવી સ્થિતિને કાબૂમાં કરી શકતા નથી તેવી છબી ઉપસાવાઇ રહી હોવાનું ભાજપના જ નેતાઓ જણાવે છે.આ ઘટનાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આડકતરું દબાણ આવી શકે છે.

પાકિસ્તાનના બદનામ સિંધ પ્રાંતમાં ત્રણ હિન્દુ યુવતીઓના અપહરણ, એક હિન્દુ યુવકની માત્ર 20 રૂપિયા માટે હત્યા
મોદીની બંગાળમાં 20 રેલીઓ અને અમિત શાહની વર્ષભરની મહેનત પર દીદીની વ્હિલચેર ભારે પડી, 200નાં સપનાં મમતાનાં ફળ્યાં
સલમાન ખાનને ધમકી આપવા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ, પત્રનો ઉદ્દેશ બહાર આવ્યો
લ્યો કરો વાત- હવાનું પ્રદૂષણ ઘટવાથી એટલાન્ટિક મહાસાગરમાં વધ્યા ચક્રવાત , સંશોધન
‘આ આપઘાત નહિ, પણ મર્ડર છે…’ પત્નીનું નામ લઈને વડોદરાના યુવકે કરી આત્મહત્યા
Share This Article
Facebook Email Print
Previous Article ઉમરગામના સોળસુંબા પંચાયતે મહારાષ્ટ્રનાં ગામમાં સ્ટ્રીટ લાઇટ નાંખતા વિવાદ
Next Article મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારામાં પડ્યા રાજીનામાં,29 આગેવાનો તેમજ કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up