નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે.આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાની ધરપકડ મની લોન્ડરિંગના કેસમાં કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇડીએ મની લોન્ડરિંગના કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જોડાયેલ ૪.૮૧ કરોડ રૂપિયાની ટાંચમાં લીધી હતી.જૈનના નજીકના લોેકોનો કેટલીક એવી કંપનીઓ સાથે સંબધો હતાં જેનીપ્રિવેન્શન આફ મની લોેન્ડરિંગ એક્ટ(પીએમએલએ)હેઠળ તપાસ ચાલી રહી છે.જૈન આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમા આરોગ્ય,વીજળી,ગૃહ,પીડબ્લ્યુડી,ઉદ્યોગ,શહેરી વિકાસ,પૂર,સિંચાઇ અને જળ પ્રધાન છે.શકૂર વસ્તીના ધારાસભ્ય સત્યેન્દ્ર જૈન સાથે ઇડીએ આ અગાઉ ૨૦૧૮માં પૂછપરછ કરી હતી.ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે સંપત્તિઓ ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક હંગામી આદેશ જારી કર્યો હતો.
આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ આ ધરપકડનો વિરોધ કર્યો છે.તેમણે જણાવ્યું છે કે ૅજૈન વિરુદ્ધ છેલ્લા આઠ વર્ષથી એક બોગસ કેસ ચલાવવામાં આવી રહ્યો છે.ઇડીએ અનેક વખત પૂછપરછ કરી છે.ઇડીએ વચ્ચેના કેટલાક વર્ષોમાં પૂછપરછ પણ બંધ કરી દીધી હતી કારણકે તેમને કશું પણ મળ્યું ન હતું.હવે ફરીથી તેમની પૂછપરછ ચાલુ કરવામાં આવી છે કારણકે તેમને હિમાચલ પ્રદેશની ચૂંટણીના ઇનચાર્જ બનાવવામાં આવ્યા છે.સિસોદિયાએ દાવો કર્યો છે કે હિમચાલમાં ભાજપ ખરાબ રીતે હારી રહ્યો હોવાથી જૈનની ધરપકડ કરવામાં આવી છે જેથી તે હિમાચલ પ્રદેશ જઇ ન શકે.જૈન થોડાક જ દિવસોમાં મુક્ત થઇ જશે કારણકે આ કેસ નકલી છે.