ગુજરાતમાં એક વખત એંગ્રી યંગમેન તરીકે છવાઈ ગયેલા અને 2015ની પંચાયત-પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવીને પછી આ પક્ષના જ કાર્યકારી પ્રમુખ બનેલા હાર્દિક પટેલ હવે તેના જ પક્ષથી નારાજ છે.હાલની પાલીકા ચૂંટણીમાં હાર્દિકના પ્રચાર છતા પણ કોંગ્રેસ પાટીદારોમાં પણ સારો દેખાવ કરી શકી નથી.ઉલ્ટાનું પાટીદારોએ ‘આપ’ નો પાલવ પકડતા સુરતમાં આ ત્રીજા પક્ષનો ઉદય થયો છે અને તેમાં હાર્દિક પટેલના એક સમયના ‘પાસ’ ના ક્ધવીનર્સની જ ભૂમિકા હોવાનું ખુલ્લુ થયુ છે અને અત્યાર સુધી તેને ‘સામાન્ય’ ઘટના ગણાવી મૌન રહેનાર હાર્દિક પટેલે પ્રથમ વખત ખુદના જ પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે મારો જ પક્ષ મારો યોગ્ય ઉપયોગ કરતી નથી અને કોંગ્રેસના જ કેટલાક નેતાઓ તેને જ નીચે ખેચવાની કોશીશ કરે છે. હાલમાં જ મોરબીમાં એક પ્રચાર-પ્રવાસ સમયે એક મુલાકાતમાં હાર્દિક પટેલે કહ્યું કે સ્થાનિક ચૂંટણી પુર્વે કોંગ્રેસ પક્ષે એક પણ સંયુક્ત બેઠક યોજી ન હતી. તે 10 દિવસમાં 27 સભાઓને સંબોધન કર્યુ હતું અને તે પણ મારી તાકાતના આધારે… તેઓએ કહ્યું કે જો અહેમદ પટેલ જીવતા હોત તો ભાજપને આટલી આસાનીથી જીત મળી ન હોત!
હાર્દિકે કહ્યું કે 2015માં જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાપાલિકામાં પણ પાટીદાર આંદોલનનો પ્રભાવ જોવા મળ્યો હતો અને એ વાત કોંગ્રેસ પક્ષે સ્વીકારવી પડશે. પક્ષના લોકોએ હું કહુ છું કે આપણે જનતાને સમજવી પડશે. હજુ પણ મારો પ્રવાસ ચાલુ છે.મારા કોઈ પ્રવાસનો નિર્ણય પ્રદેશ કોંગ્રેસ કમીટી કરતી નથી.હાર્દિકે કહ્યું કે કોઈ ઈચ્છે કે ન ઈચ્છે હું પક્ષને મજબત કરવા માગું છું પણ મને નીચે પાડવા કોશીશ થાય છે.ભલે તેઓ કોશીશ કરે હું ફરી ઉભો થઈશ.આંદોલન સમયે ભાજપે મને નીચે પાડવા કોશીશ કરી હતી પણ હું મજબૂત બનીને આવ્યો હતો.હાર્દિકે કહ્યું કે મારી બેઠકો યોજો હું એક દિવસમાં 25 બેઠકો કરવા તૈયાર છું. 500 કી.મી.ની યાત્રા રોજ કરીશ મને કામ સોપો.હું પક્ષને કહું છું કે અને વારંવાર કહું છું કે મને કામ આપો.