સુરત રેલવે પોલીસની હદમાં આવેલા રેલવે યાર્ડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોય અને તપાસ શરૂ કરી છે.સાથે યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.યુવકને પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્ય હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૃતક અજાણ્યા યુવકની પોલીસે શોધખોળ શરૂ કરી છે.સાથે જ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા દિવસે વધુ એક હત્યા
શહેર હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.ગતરોજ સુરતના લિંબાયત વિસ્તારમાં બુટલેગરની હત્યા કરવામાં આવી હતી.તો બીજી તરફ આજે સુરત રેલ્વે યાર્ડ પાસેથી એક અજાણ્યા ઇસમની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરુ કરી છે.વધુમાં મૃતક ઇસમની પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા છે.તેમજ મરનાર યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા
સુરત રેલ્વે પોલીસની હદમાં આવેલા રેલ્વે યાર્ડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા યુવકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા.વધુમાં મૃતકની પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા છે.


