કુઆલાલામ્પુર,તા.૨૪
મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે સોમવારે રાજીનામુ આપી દીધું છે. તેમના રાજીનામા પછી મલેશિયામાં નવી સરકારના ગઠનનો રસ્તો સાફ થઈ ગયો છે. ૯૪ વર્ષના ઁસ્ મહાતિરે બે લાઈનનું નિવેદન આપી દેશના રાજાને પોતાનું રાજીનામું ધરી દીધું છે.
મલેશિયાના પ્રધાનમંત્રી ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે પાકિસ્તાનને ખુલીને કાશ્મીર મામલે તેમણે સમર્થન આપ્યુ બતુ. પાર્ટીના અધ્યક્ષ મુહયિદ્દીન યાસીનની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર મહાતિરની પાર્ટી પ્રબુમિ બેરસુત મલેશિયાએ ગઠબંધન સરકારને છોડી દીધી છે.
મહાતિરના આ રાજીનામાનો નિર્ણય છેલ્લા કેટલાક અઠવાડિયાથી શરૂ થયેલા રાજનૈતિક જંગ પછીનો ગણવામાં આવે છે. રવિવારે રિપોર્ટ આપ્યો હતો કે મહાતિરની પાર્ટી નવી સરકારનું ગઠન બનાવવાની યોજના બનાવી રહ્યું છે જેમાં તેમના દ્વારા પસંદ કરેલ ઉત્તરાધિકારી અનવર ઇબ્રાહિમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
મલેશિયામાં બે મહત્વ રાજનીતિક શખ્સિયતોની લડાઈનો ઇતિહાસ રહ્યો છે જેમાં ૯૪ વર્ષના મહાતિર અને ૭૨ વર્ષના અનવર વચ્ચેનો વિવાદ આ તમામ પાછળ જવાબદાર ગણાય છે. અનવર અને મહાતિરે યુએમએનઓના પ્રભુત્વવાળા બારસિન નેશનલ કોલિશનની સત્તાને હટાવવા માટે ૨૦૧૮માં ચુંટણી પહેલા એક સાથે આવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા છ દસકાથી મલેશિયાની સત્તા પર સ્થાપિત દળને હરાવીને અનવર-મહાતિરના ગઠબંધને તાત્કાલીક પ્રધાનમંત્રી નજીબ રજ્જાક પાસેથી ખુરસી ઝુટવી લીધી હતી.
મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આપ્યુ રાજીનામુ
Leave a Comment