મસ્જિદમાં નમાઝ પઢવા ભેગા કર્યા લોકોને, પોલીસે કરી ઈમામ સામે કાર્યવાહી

HM News
1 Min Read

લખનૌ, તા.27 માર્ચ 2020, શુક્રવાર

કોરોનાને કાબૂમાં લેવા માટે 21 દિવસના દેશવ્યાપી એલાનનો આજે ત્રીજો દિવસ છે. કોરોના સામેના જંગમાં હવે લોકડાઉનનુ ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે.

યુપીના હરદોઈ જિલ્લામાં લોકડાઉન અને કલમ 144 લાગુ હોવા છતાં મસ્જિદમાં લોકોને નમાઝ માટે બોલાવનાર ઈમામ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.પોલીસના કહેવા પ્રમાણે મસ્જિદમાં ઈમામ સિવાય બીજા 100 લોકો નમાઝ પઢવા માટે એકત્રિત થયા હતા. લોકોએ આ અંગેની સૂચના આપી હતી અને અમે સ્થળ પર જઈને કાર્યવાહી કરી હતી. આટલી મોટી સંખ્યામાં લોકોના ભેગા થવાના કારણે કોરોનાનો ચેપ ફેલાવાનુ જોખમ વધી જાય છે.

પોલીસે કહ્યુ હતુ કે, ઈમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે.તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *