હૈદ્રાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં આજે કોર્ટે આપેલા ચુકાદા બાદ ભડકી ઉઠ્યા છે.ઓવૈસીએ કહ્યું હતું કે, આજે અદાલતના ઈતિહાસનો કાળો દિવસ છે. જો મસ્જિદ તોડવાનુ કાવતરું નહોતું તો શું જાદૂથી મસ્જિદ પાડી દેવામાં આવી હતી.હું એક ભારતીય મુસ્લિમ તરીકે આજે અપમાન,શરમ અને અસહાયતા મહેસૂસ કરી રહ્યો છું.આ જ પ્રકારની લાગણી મને જ્યારે બાબરી મસ્જિદ તુટી ત્યારે થઈ હતી.
કોર્ટમાં ચુકાદા બાદ જય શ્રી રામના નારા પણ લાગ્યા
ઓવૈસીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને અપીલ કરી છે કે,આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે.ઉલ્લેખનીય છે કે,સીબીઆઈની કોર્ટે આ મામલામાં 32 આરોપીઓને છોડી મુક્યા છે.કોર્ટે સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા કેટલાક પૂરાવાને પણ માનવાનો ઈનકાર કરી દીધો છે.કોર્ટે ચુકાદો આપ્યા બાદ આરોપીઓ અને તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.કોર્ટમાં ચુકાદા બાદ જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા.
ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ લલ્લુ સિંહ પણ કોર્ટમાં પહોંચ્યા હતા
બાબરી મસ્જિદ કેસમાં નિર્ણય સાંભળવા માટે સાધ્વી ઋૃતમ્ભરા,પવન પાંડેય,રામજી ગુપ્તા,વિનય કટિયાર પણ સીબીઆઈ કોર્ટ પહોંચ્યા હતા.સાથે સાથે રામ વિલાસ વંદાતી અને કૈસરગંજ ભાજપા સાંસદ બૃજ ભૂષણ સિંહ પર કોર્ટ પર હાજર રહ્યા હતા.ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ લલ્લુ સિંહ પણ કોર્ટમાં પહોંચ્યા હતા.
આ મામલામાં 32 આરોપીઓને નિર્દોષ છોડાયા
લાલકૃષ્ણ અડવાણી,મુરલી મનોહર જોશી,મહંત નૃત્ય ગોપાલદાસ,કલ્યાણ સિંહ,ઉમા ભારતી,વિનય કટિયાર,સાધ્વી ઋતાંભરા,રામ વિલાસ વેદાંતી,ધરમદાસ,સતિષ પ્રધાન,ચંપત રાય,પવનકુમાર પાંડેય,બ્રજ ભૂષણસિંહ,જય ભગવાન ગોયલ,મહારાજ સ્વામી સાક્ષી,રામચંદ્ર ખત્રી,અમન નાથ ગોયલ,સંતોષ દુબે,પ્રકાશ શર્મા, જયભાનસિંહ પવાયા,વિનયકુમાર રાય,લલ્લુ સિંહ,ઓમપ્રકાશ પાંડે,કમલેશ ત્રિપાઠી ઉર્ફે સતી દુબે,ગાંધી યાદવ,ધર્મેન્દ્રસિંહ ગુર્જર,રામજી ગુપ્તા,વિજય બહાદુરસિંહ, નવીન ભાઈ શુક્લા,આચાર્ય ધર્મેન્દ્ર દેવ,સુધીર કક્કર અને રવિન્દ્ર નાથ શ્રીવાસ્તવ સહિતના નામો હતા.17 લોકોના મોત થતાં હાલમાં 32 લોકોના નામ આરોપી તરીકે હતા. જે તમામને નિર્દોષ છોડી મુકાયા છે.