અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું સોમવારે શંકાસ્પદ હાલતમાં નિધન થયુ હતુ.પ્રયાગરાજના બાધંબરી મઠમાં તેમનો મૃતદેહ મળ્યો હતો.તેમના અંતિમ દર્શન માટે પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ગિરિનો નશ્વરદેહ અંતિમ દર્શન માટે આજે બાધંબરી મઠમાં રાખવામા આવશે અને આવતીકાલે તેમને સમાધિ આપવામાં આવશે.
મહંતજીનો સહયોગ મળતો હતો : યોગી
યોગીએ કહ્યું કે પ્રયાગરાજ કુંભની ભવ્યતા, 13 અખાડાઓ વચ્ચે સુરક્ષા,સંચાર અને સમન્વય,આચાર્ય ધર્માચાર્યો વચ્ચે વધુ સારો સંચાર અને આદર, તેમણે એક મહાન પ્રયાસ કર્યો હતો.આનું પરિણામ એ આવ્યું કે પ્રયાગરાજ કુંભ વૈશ્વિક મંચ પર પ્રથમ વખત એક અદ્ભુત ઘટના તરીકે ઓળખાય છે.સાધુ સમાજની સમસ્યા હોય, કે ધાર્મિક આગેવાનોની સમસ્યા,અખાડા પરિષદની અંદર હોય કે મંદિરની સમસ્યા હોય.દરેક નિર્ણયમાં તેમની મદદ અને સહકાર મળતો હતો.
પ્રયાગરાજ કુંભમાં સહકાર મળ્યો
યોગીએ કહ્યું કે પ્રયાગરાજ કુંભ 2019ને સુરક્ષિત અને આયોજન કરવા માટે તેમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.તેમણે માન-અપમાનની પરવાહ કર્યા વિના ભવ્યતા સાથે પ્રયાગરાજ કુંભનું આયોજન કરવામાં સંપૂર્ણ યોગદાન આપ્યું હતું.
નરેન્દ્ર ગિરિના નિધનથી ખુબ દુ:ખ થયુ
CM યોગીએ કહ્યું કે મહંત નરેન્દ્ર ગિરિના નિધનથી ખુબ દુ:ખ થયુ હું પોતે અહીં સંત સમાજ અને રાજ્ય સરકાર વતી તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.આ આપણા આધ્યાત્મિક અને ધાર્મિક સમાજ માટે ક્યારેય ન ભરી શકાય તેવુ નુકસાન છે. મહંતજીની અખાડા પરિષદ અને સંત સમાજની સેવા અવિસ્મરણીય છે. તેમની ખોટ હંમેશા સાલશે.
મઠના પરિસરમાં બનાવાશે સમાધિ
મહંત નરેન્દ્રગિરિએ પોતાની સ્યુસાઇટ નોટમાં દરેક મુદ્દા લખ્યા છે. તેમણે એ નોંધમાં પણ લખ્યું છે કે તેમની સમાધિ મઠમાં આવેલા લીમડાના ઝાડ નીચે યજ્ઞશાળા પાસે બનાવવામાં આવે.આહવાન અખાડાના કમલગિરિ મહારાજે પણ જણાવ્યું હતું કે અગાઉ વાતચીત દરમિયાન તેમણે બ્રહ્મલીન થવા પર મઠમાં જ સમાધિ બનાવવાની વાત કરી હતી.