[weather_data]
Breaking News
TRENDING NEWS

મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારનો મોટો દાવ,ગાંધીનગર,સુરત મનપાના નવા સીમાંકન નવી બેઠકોનો વધારો

[updated_date] [post_views]

Table of Content

આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓનાં નવા સીમાંકનની જાહેરાત કરવામાં આવી છે.ગાંધીનગર અને સુરત મનપાના નવા સીમાંકન નવી બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે અન્ય મનપામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.નવા સીમાંકન પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે.

ગુજરાત સરકારે મહાનગરપાલિકાઓમાં નવેસરથી વોર્ડ અને બેઠકોનું જાહેરનામું બહાર પાડ્યું છે.સુરતમાં મનપામાં એક વોર્ડ અને 4 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે ગાંધીનગમાં 3 વોર્ડ અને 12 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.રાજકોટ,જામનગર,ભાવનગર અને વડોદરાના સીમાંકનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 142 વોર્ડ અને 572 બેઠકો હશે.આમ ગાંધીનગરમાં મનપામાં હવે 11 વોર્ડ અને 44 બેઠક થઈ ગઈ છે.સુરતમાં હવે 30 વોર્ડ અને 120 બેઠકો હશે.ભાવનગરમાં 13 વોર્ડ અને 52 બેઠકો હશે.વડોદરામાં 19 વોર્ડ અને 76 બેઠકો રહેશે.રાજકોટ મનપામાં 18 વોર્ડ અને 75 બેઠકો હશે. જામનગર મનપામાં 16 વોર્ડ અને 64 બેઠક રહેશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles