મુંબઈ તા.29 : મહારાષ્ટ્રના પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ મહારાષ્ટ્રના આઠ શહેરોમાં 12 સ્થળોએ સીબીઆઈએ દરોડા પાડયા હતા.આ સ્થળોમાં એસીપી સંજય પાટીલ,ડીસીપી રાજૂ ભુજબલના પરિસર પણ સામેલ છે.દરોડાની આ કાર્યવાહી મુંબઈ,થાણે,અહમદનગર,નાસિક,પુણે,સોલાપુર,સાંગલી અને ઉસ્માનાબાદમાં કરવામાં આવી હતી.
અન્ય પરિસરો કથિત વચેટીયાઓના છે,જેના નામ તપાસ એજન્સીએ જાહેર નથી કર્યા.ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ દેશમુખ ઉપરાંત અન્ય અજ્ઞાત વ્યક્તિઓ સામે ભ્રષ્ટાચાર રોકથામ કાનૂન અને આપરાધિક કાવતરા સાથે સંલગ્ન ભારતીય દંડ સંહિતાની ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.
Post Views: 2