By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રનું અજબ ગજબ: ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રનું અજબ ગજબ: ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે
GeneralMumbai

મહારાષ્ટ્રનું અજબ ગજબ: ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે

HM News
Last updated: 17/10/2022 8:40 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 17 ઓક્ટોબર 2022,સોમવાર : મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત કરી હતી.અંધેરી પૂર્વના ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી આ બેઠક ખાલી પડતાં તેની પેટા ચૂંટણી તારીખ ત્રીજી નવેમ્બરે યોજવાની છે.તેના માટે ભાજપ તરફથી મુરજી પટેલ અને ઉદ્ધવજી તરફથી સ્વ રમેશ લટકેના પત્ની ઋતુજા લટકેએ ફોર્મ ભર્યું છે.ઋતુજા આ ચૂંટણીના લડી શકે તે માટે એકનાથ સરકારે ભારે ધમપછાડા કર્યા હતા.ઋતુજા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારી હોવાથી તેમણે ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું.પરંતુ રાજ્ય સરકારના ઈશારે મહાપાલિકાએ આ રાજીનામાં પત્ર દબાવી રાખ્યો હતો.છેવટે ઉદ્ધવ જૂથે હાઇકોર્ટમાં ધા નાખતા બોમ્બે હાઈકોર્ટે મહાપાલિકાને આકરા ઠપકા સાથે ઋતુજાનું રાજીનામું સ્વીકારી લેવા જણાવ્યું હતું એ પછી શિંદે જૂથે આ બેઠક પર ભાજપ નહીં પરંતુ પોતે લડે તેવું આગ્રહ સેવ્યો હતો પરંતુ ભાજપ એ તેનો સ્વીકાર કર્યો ન હતો.

હજુ ગઈકાલે મનસેના નેતા રાજ ઠાકરે એ ભાજપના નેતા અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ને એક પત્ર પાઠવી ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાય તે માટે ભાજપ તેનો ઉમેદવાર પાછો ખેંચી લે તેવી અપીલ કરી હતી.રાજે જણાવ્યું હતું કે સ્વ રમેશ લટકે ને અંજલિ રૂપે આ ચૂંટણી બિન હરીફ થવી જોઈએ.શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ રાજની આ દરખાસ્તને ટેકો આપ્યો હતો.

India Stocks Live: સેન્સેકસ 1250 અંક નીચે ખુલ્યો, નિફટી 16800ની નીચે
રેલવેએ 31 માર્ચ સુધી રાજધાની-દુરંતો સહિત આ 22 ટ્રેનો કરી રદ્દ
હિન્દુત્વની તુલના આતંકી સંગઠન સાથે કરનારા સલમાન ખુર્શીદના ઘર પર આગચાંપી અને પથ્થરમારો, વિવાદિત પુસ્તક લખ્યા બાદ શરૂ થયો છે વિવાદ
શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે
ગાંધીજી વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તે બાબતે કોઈ પસ્તાવો નથી, જેલમાંથી છુટયા બાદ બોલ્યા કાલીચરણ મહારાજ
Share This Article
Facebook Email Print
Previous Article RXની જગ્યાએ ‘શ્રી હરિ’ લખ્યું, હિન્દીમાં દવાઓ નામ પ્રિસક્રાઈબ્ડ કર્યા, MPના એક ડોકટર ચર્ચામાં
Next Article રાજ ઠાકરેની ગૂગલી : ઉદ્ધવ જૂથનાં ઉમેદવારની તરફેણમાં ફોર્મ પાછું ખેંચવા ભાજપને અપીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up