મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો વધતા રાજ્યમાં મહામારીની ચોથી લહેરની આશંકા વધી ગઈ છે.રવિવારે રાજ્યના પર્યાવરણ અને પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેએ લોકોને નહીં ગભરાવવા વિનંતી કરી છે અને કહ્યું કે કોરોનાની ચોથી લહેર પ્રદેશમાં આવી શકે છે.જોકે,મંત્રી આદિત્ય ઠાકરેએ ઉમેર્યું કે,રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધ્યો,પરંતુ મોતના કેસો નોંધાઈ રહ્યા નથી.મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરે જણાવ્યું કે,સૌએ ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું જોઈએ.હજુ સરકારે માસ્ક ફરજિયાત કર્યું નથી,પરંતુ જલદી લાગુ કરવામાં આવશે.હું લોકોને વેક્સીનનો બૂસ્ટર ડોઝ યોગ્ય સમયે લેવા વિનંતી કરું છું.અહીંયા નોંધવું રહ્યું કે,મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સપ્તાહથી કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 1000થી વધુ કેસો નોંધાયા છે.એક દિવસ પહેલા રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું હતું કે જાહેર સ્થળો પર માસ્ક પહેરવું અનિવાર્ય નથી,પરંતુ લોકોને કોરોનાના કેસોમાં વૃદ્ધ ધરાવતા વિસ્તારોમાં માસ્ક પહેરવા અપીલ કરાઈ છે.રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સે પણ નાગરિકોને ભીડ ધરાવતા સ્થળોની સાથે સાથે બસો,ટ્રેનો,સ્કૂલોમાં માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરવાનો નિર્ણય લીધો છે.