મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે દિન પ્રતિદિન કોરોના દરદીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આથી આ કોરોનાના વાઈરસની ચેઈન તોડવા આજથી રાજ્યમાં ૧૫ દિવસન હળવો લોકડાઉન અમલમાં આવી ગયો છે આજે મહારાષ્ટ્રમાં કોરોનાના ૫૮,૯૫૨ કેસ નોંધાયા છે અને ૨૭૮ દરદીનાં મોત થયા હતા અને કોરનાના ૩૯,૬૨૪ દરદી સાજા થતાં હો સ્પિટલથી ડિસ્ચાર્જ આપ્યા હતા.જ્યારે મહારાષ્ટ્રમાં આજે ૬,૧૨,૦૭૦ કોરોના એક્ટિવ કેસ છે.જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫,૭૮, ૧૬૦ થઈ છે અને મરણાંકની સંખ્યા ૫૮,૮૦૪ થઈ છે.જ્યારે કોરોના ૨૯,૦૫,૭૨૧ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે અને રિકવરીનું પ્રમાણ ૮૧.૨૨ ટકા થયું છે.રાજ્યમાં અત્યારે ૩૪,૫૫,૨૦૬ દરદી હોમ ક્વોરન્ટીન છે.અને ૨૮,૪૯૪ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે.
મુંબઈ 54નાં મોત અને નવા 9925 કેસ
મુંબઈમાં આજે કોરોનાના નવા ૯૯૨૫ કેસ નોંધાયા હતા અને ૫૪ દરદીના મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૫૪૪૯૪૨ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૨૧૪૦ થઈ છે.જ્યારે ૯૨૭૩ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાતાં અત્યાર સુધી શહેરમાં ૪૪૪૨૧૪ દરદી કોરોનામુક્ત થયા છે.એટલે કે શહેકમાં કોરોના દરદી રિકવરી થવાનું પ્રમાણ વધીને ૮૧ ટકા થયું છે.જ્યારે મુંબઈમાં આજ દિન સુધી કોરોનાના ૮૭,૪૪૩ દરદી સક્રિય છે,એમ રાજ્ય વિભાગે જણાવ્યું હતું.