By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ
GeneralNational

મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ

HM News
Last updated: 26/12/2022 6:58 AM
HM News
3 years ago
Share
SHARE

– કર્ણાટકના વિસ્તારને લઈને બંને નેતાઓના મત અલગ-અલગ

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સીમા વિવાદ પર અથડામણ હજુ સુધી પૂરી થઈ નથી.તેને લઇ રાજ્યની અંદર રાજનૈતિક ગણિતમાં ભાગલા પડવાના અહેવાલો મળી રહ્યા છે.તાજેતરમાં કર્ણાટકના વિસ્તારને લઈને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ લાવવા સંબંધિત છે.મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર વડણવીસ પ્રસ્તાવને લઈને એકમત નથી.આ પ્રસ્તાવ પર બંને નેતાઓના મત અલગ-અલગ છે.આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સરકારના બે ટોચના નેતાઓ વચ્ચેની ટકરાવથી ગઠબંધન પર સંકટ આવી શકે છે.

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેમની પાર્ટી કર્ણાટક સાથેના સરહદ વિવાદ અંગે આજે વિધાનસભામાં ઠરાવ લાવી શકે છે.જોકે, રાજ્યમાં ભાજપની નેતાગીરી તરફથી આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.એવું જાણવા મળી રહ્યું છે કે, ભાજપ કર્ણાટકમાં તેની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ આ મુદ્દો ઉશ્કેરવા માંગતી નથી.અને એ પણ એવા સમયે જ્યારે કર્ણાટકમાં પણ આવતા વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

અહેવાલો અનુસાર, શિંદેના મંત્રીની જાહેરાત છતાં,કર્ણાટક સરહદ વિવાદને લઈને સરકાર તરફથી સોમવારે કોઈ પ્રસ્તાવ લાવવાની કોઈ વાત નથી.શિવસેનાના નેતાઓના જણાવ્યા અનુસાર, વિધાનસભામાં આ પ્રસ્તાવ અંગે કોઈ સૂચના રજુ કરવામાં આવી નથી.વાસ્તવમાં ભાજપના નેતાઓ સરહદ વિવાદ પર કર્ણાટક દ્વારા જારી કરાયેલા ઠરાવનો વિરોધ કરવાના પક્ષમાં નથી.તેમનું માનવું છે કે આમ કરવાથી પાર્ટીને આવતા વર્ષે કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.જો કે, આ પ્રસ્તાવ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને તેને શિયાળુ સત્રના અંતે વિધાનસભામાં લાવવામાં આવી શકે છે.શિંદે તરફી નેતાઓ કહે છે કે, મુખ્યમંત્રી આ પ્રસ્તાવ લાવવાની તરફેણમાં છે કારણ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિપક્ષ તેમના પર હુમલો કરી રહ્યો છે.ઘણા વિપક્ષી નેતાઓએ શિંદે પર કર્ણાટકના મુખ્યમંત્રીની સરખામણીમાં સરહદ વિવાદ પર ખૂબ નબળા હોવાનો આરોપ લગાવ્યો છે.

શ્રીલંકા નાદારીની આરે, 100-100 ગ્રામ દૂધ-શાકભાજી ખરીદવા લોકો મજબૂર
ડૉ.પ્રવીણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્માણ દળપાર્ટી આ નગરપાલિકાની તમામ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે
મણપ્પુરમ ફાઇનાન્સના MD- CEOની 143 કરોડની મિલકતો ફ્રીઝ
આજે ‘આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ’ : ગરીબી જેવા વૈશ્વિક મુદ્દા અંગે આજે જાગૃતિ લાવવાનો દિવસ
તાલિબાનમાં અંદરોઅંદર ડખો : સત્તા હાંસલ કરવા હક્કાની નેટવર્કે સુપ્રીમ લીડર અખુંદજાદાને પતાવી નાખ્યો , મુલ્લા બરાદરને બંધક બનાવવામાં આવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જંગી વિજયથી ‘સંપૂર્ણ રાજકીય ચિત્ર’ બદલાઈ જશે : અમિતભાઈ શાહ
Next Article માઓવાદી સરકાર સત્તામાં : નેપાળમાં હવે ‘પ્રચંડ’ શાસન! પુષ્પ કમલનો આજે 4 વાગે રાજ્યાભિષેક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up