By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થઇ રહ્યું છે તેમાં શરદ પવારનો જ હાથ : રાજ ઠાકરે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થઇ રહ્યું છે તેમાં શરદ પવારનો જ હાથ : રાજ ઠાકરે
GeneralMumbai

મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થઇ રહ્યું છે તેમાં શરદ પવારનો જ હાથ : રાજ ઠાકરે

HM News
Last updated: 04/07/2023 8:47 AM
HM News
2 years ago
Share
Pc : Twitter
SHARE

મહારાષ્ટ્રમાં NCP નેતા અજિત પવારે એકાએક સરકારને સમર્થન આપીને ડેપ્યુટી સીએમ બની જતાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે.હવે NCPમાં જ બે જૂથ પડી ગયાં છે,જેમાંથી એક અજિત પવાર સાથે છે અને બીજું તેમના કાકા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર સાથે.આ બધાની વચ્ચે એવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઈ છે કે આ બધા પાછળ શરદ પવારનો જ હાથ છે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ એક નિવેદન આપતાં કહ્યું કે, શરદ પવારના સમર્થન વગર આ બધું શક્ય નથી તો શિવસેનાના સાંસદે પણ કંઈક આવી જ વાત કહી હતી.

મહારાષ્ટ્રના તાજા ઘટનાક્રમને લઈને રાજ ઠાકરેએ કહ્યું કે, દિલીપ વલસે પાટીલ,પ્રફુલ પટેલ,છગન ભુજબળ વગેરે જે દાવા કરી રહ્યા છે,તેને જોતાં આ બધું શરદ પવારની જાણ બહાર થઇ શકે તેમ નથી.આ એક રાજકીય નાટક છે. ઠાકરેએ કહ્યું કે, શરદ પવારનું કહેવું છે કે તેમને આ બધા વિશે કંઈ ખબર ન હતી,પરંતુ મને એવું નથી લાગતું.મને લાગે છે કે અજિત પવારના દરેક પગલાં વિશે શરદ પવારને ખબર હશે.આ બધું શરદ પવારનું રાજકીય નાટક છે.આજે તો કોણ કોનો મિત્ર છે અને કોનો દુશ્મન એ જ જાણી નથી શકાતું.તેમણે ઉમેર્યું કે, દિલીપ વલસે પાટીલ હોય કે પ્રફુલ પટેલ કે પછી છગન ભુજબળ,આ બધા લોકો આમ જ પાર્ટીમાંથી નહીં જતા રહે.કાલે ઉઠીને સુપ્રિયા સુલે કેન્દ્રીય મંત્રી બની જાય તોપણ મને આશ્ચર્ય નહીં થાય. ઉલ્લેખનીય છે કે દિલીપ વલસે પાટીલ,પ્રફુલ પટેલ અને છગન ભુજબળ વગેરે નેતાઓ શરદ પવારના અત્યંત નજીકના નેતાઓ માનવામાં આવે છે,પરંતુ ગઈકાલે અચાનક તેમણે અજિત પવાર સાથે રાજભવન જઈને મંત્રી પદના શપથ લઇ લીધા હતા.જોકે, પ્રફુલ પટેલ આ સમગ્ર ઘટનાક્રમમાં સાથે રહ્યા છે પરંતુ ગઈકાલે તેમણે શપથ લીધા ન હતા.

VIDEO | "Whatever Dilip Walse Patil, Praful Patel, Chhagan Bhujbal are claiming, it could not have happened without the knowledge of Sharad Pawar. This is a political drama," said MNS chief Raj Thackeray on political situation in Maharashtra earlier today. pic.twitter.com/M6GKjtP6K2

— Press Trust of India (@PTI_News) July 3, 2023

આ જ પ્રકારનો એક દાવો શિવસેનાના (એકનાથ શિંદે જૂથ) સાંસદ સદા સરવણકરે કર્યો છે.તેમણે કહ્યું કે, NCPમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેમાં શરદ પવારનું સમર્થન છે.તેમણે કહ્યું, શરદ પવારની આખી રમત જુઓ.અજિત પવારને ભૂલી જાઓ, છગન ભુજબળ અને પ્રફુલ પટેલ કઈ રીતે અમારી સાથે આવ્યા? શરદ પવાર સાહેબે કહ્યું કે, તમે શપથ લો અને હું પુણેમાં જઈને બેસી જઈશ. NCP અધ્યક્ષ (શરદ પવાર)ના સમર્થન વગર આ બધું શક્ય જ નથી.

અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં, કહ્યું- કોઈ જગ્યાએ હિંસા થાય તે સારી વાત નથી
રમઝાન પહેલા CM યોગીનો મહત્વનો નિર્ણય, ધાર્મિક સ્થાન પર એક સાથે આટલા જ લોકોની એન્ટ્રી
ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરતમાં થતા આરોગ્ય સચિવ, CM-ડે.CM દોડી આવ્યા, લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું
નેતન્યાહુ અને તેના પુત્રને મારી નાખવાની ઇચ્છા વિશે ટ્વિટ કરનાર વ્યક્તિને 13 મહિનાની જેલ
ઇજિપ્તના સૌથી ખુંખાર ઇસ્લામી આતંકી હિશમ અશ્માવીને ફાંસીએ લટકાવી દેવાયો
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાનું ટેક્સાસ શહેર ગુરુ પૂર્ણિમાના અવસર પર વૈદિક મંત્રોથી ગુંજી ઉઠ્યું
Next Article પોલીસે ખોલી એવી પોલ કે …દમણ જઈ પાર્ટી કરવાનો શોખ સુરતના વિદ્યાર્થીઓને ભારે પડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up