– છેલ્લા ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને આ ટેસ્ટનું નેગેટિવ પરિણામ હોવું જોઈએ :બસમાં આવતા તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ પણ ફરજીયાત
રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.ત્યારે બાજુના રાય મહારાષ્ટ્ર્રમાં પણ ખુબ જ કેસ આવી રહી છે.આ સ્થિતિમાં ગુજરાત સરકારે નવા નિર્દેશો જાહેર કરતા મહારાષ્ટ્ર્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોએ છેલ્લા ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને આ ટેસ્ટનું નેગેટિવ પરિણામ હોવું જોઈએ.ગુજરાતમાં જે કેસ વધી રહ્યા છે તેનું કોન્ટેકટ ટ્રેસિંગ હાથ ધરાવતા કેટલાક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.તેમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર્રમાંથી મુસાફરી કરીને પરત આવેલા કે તેમના સંપર્કમાં આવેલા વ્યકિતઓમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે.
જેથી મહારાષ્ટ્ર્ર રાજયમાંથી કોવિડ-૧૯ નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્રારા તકેદારીના પગલાંપે એપિડેમિક ડીસીઝ એકટ, ૧૮૯૭ અન્વયે મળેલ સત્તાની એ નીચે મુજબના પગલાં લેવા હત્પકમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર્રમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યકિતઓએ છેલ્લાં ૭૨ કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ હોય તેઓને જ હવે પ્રવેશ મળવાપાત્ર થશે.મહારાષ્ટ્ર્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ ફરજીયાત પણે કરવાનું રહેશે.રાજ્યસ રકારે કરેલા આદેશ અનુસાર આ હત્પકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.
કોરોનાના કેસ વધતા એસટી વિભાગે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે.હવે મહારાષ્ટ્ર્રથી આવતી એસટી બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે.મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે.મહારાષ્ટ્ર્રથી ગુજરાતમાં ત્રણ પોઇન્ટ નિર્જર,ઉછલ અને સોનગઢ પરથી પ્રવેશ થાય છે.આ ત્રણેય પોઇન્ટ પર કોરોના ટેસ્ટ શ કરાયા છે.એસટીના તમામ મુસાફરોના ટેસ્ટ માટે બુથ ગોઠવાયા છે.
જણાવી દઈએ કે,મહારાષ્ટ્ર્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરનાના ૨૮,૯૯૯ નવા કેસ સામે આવ્યા છે. જયારે કે, ૧૩,૧૬૫ લોકો ડિસ્ચાર્જ કરાયા છે અને ૧૩૨ લોકોના મોત થઈ ગયા છે.મહારાષ્ટ્ર્રમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૨,૩૩,૦૨૬ થઈ ગયા છે.જયારે કે અત્યાર સુધીમાં કુલ ૫૩,૫૮૯ લોકોના મોત થયા છે.મહારાષ્ટ્ર્રમાં હાલમાં કોરોનાના કુલ ૨,૩૦,૬૪૧ સક્રિય મામલા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૭૩૦ નવા કેસો નોંધાયા છે જયારે ૧૨૫૫ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ ૪ દર્દીના મોત થયા છે.ગુજરાતમાં આજે કુલ ૨,૨૫,૫૫૫ વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.જયારે રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર ૯૫.૬૦ ટકા નોંધાયો છે.રાજ્યના મોટા શહેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૦૨, સુરતમાં ૪૭૬, વડોદરામાં ૧૪૨, રાજકોટમાં ૧૧૭ કોરોનાના કેસો નોંધાયા છે.


