મુંબઈ,તા.01 જાન્યુઆરી શનિવાર : મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 10 મંત્રી અને 20 ધારાસભ્ય કોરોના પોઝિટીવ થઈ ચૂક્યા છે,આની જાણકારી રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારે આપી છે.અજીત પવારે કહ્યુ કે રાજ્યમાં કોરોના સંક્રમણની રફ્તાર વધતી જઈ રહી છે.જો આની પર બ્રેક લાગી નહીં તો આપણે કડક પગલા ઉઠાવવા પડશે.અજીત પવારની આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 8,067 કેસ સામે આવ્યા છે જે ગુરુવારની તુલનામાં 50 ટકા વધારે છે.
વિધાનસભા સત્રને નાનુ કરવામાં આવ્યુ: અજીત પવાર
પેરને ગામમાં જયસ્તંભ સૈન્ય સ્મારકનો પ્રવાસ કર્યા બાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા અજીત પવારે કહ્યુ કે મંત્રીઓ અને ધારાસભ્યોમાં સંક્રમણ ફેલાયા બાદ તાજેતરમાં જ વિધાનસભા સત્રને નાનુ કરી દેવાયુ છે.અત્યાર સુધી 10થી વધારે મંત્રીઓ અને 20થી વધારે ધારાસભ્યોની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી ચૂકી છે.દરેક નવુ વર્ષ,જન્મદિવસ અને અન્ય અવસરોના જશ્નનો ભાગ બનવા ઈચ્છે છે.નવુ સંસ્કરણ ઝડપથી ફેલાય છે અને તેથી સાવધાની રાખવાની જરૂર છે.પીએમ નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે અને કેટલાક રાજ્યોને રાતના કર્ફ્યુની જાહેરાત કરી છે.તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ અને પૂણેમાં કેસ વધી રહ્યા છે.
દર્દીની સંખ્યામાં ઝડપી વધારો થશે તો કડક પ્રતિબંધ લગાવીશુ: અજીત પવાર
વધારે પ્રતિબંધ લગાવવાની સંભાવના વિશે પૂછવા પર અજીત પવારે કહ્યુ કે રાજ્ય સરકાર દર્દીઓની વધતી સંખ્યા પર નજર રાખી રહ્યા છે.તેમણે કહ્યુ કે જો દર્દીની સંખ્યામાં વૃદ્ધિ જારી રહે છે તો કડક પ્રતિબંધ હશે.કડક પ્રતિબંધથી બચવા માટે તમામે માનદંડોનુ પાલન કરવુ જોઈએ.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના 8067 નવા કેસ સામે આવ્યા હતા.જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ ચાર કેસ સામેલ છે.રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી મળતી જાણકારી અનુસાર ગુરૂવારની તુલનામાં શુક્રવારે લગભગ 2700 વધારે કેસ સામે આવ્યા છે.