નવી દિલ્હી: દેશમાં મંદી- કોરાના લોકડાઉન સહિતના કારણોની જે વ્યાપક રીતે આર્થિક આંચકો લાગ્યો છે તેમાં રાજયોની ઘટેલી જીએસટી આવકમાં જે કેન્દ્ર દ્વારા આવક ઘટ-ભરપાઈ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તે વચ્ચે હવે અનેક રાજયોમાં જો કેન્દ્ર તાત્કાલીક સહાય નહી કરે તો રાજયોને તેમના કર્મચારીઓના પગાર ચૂકવવામાં મુશ્કેલી પડશે તેવો તાકીદનો સંદેશો આજની બેઠકમાં આપવાની તૈયારી છે.મહારાષ્ટ્ર,પંજાબ,કર્ણાટક અને ત્રિપુરા જેવા રાજયો તેના આરોગ્ય કર્મચારી સહીતના કર્મચારીઓના પગાર વિલંબીત રીતે ચૂકવવાનું શરુ કર્યુ છે. ઉતરપ્રદેશ-તેલંગણા, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં તેના યુનિ. કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓના પગાર પણ હજુ ચુકવ્યા નથી તો બીજી તરફ કોરોના સંક્રમણનો મુકાબલો કરવામાં વિવિધ આરોગ્ય સંબંધી ખર્ચ વધી રહ્યા છે અને રાજયોને મંદી- લોકડાઉનના કારણે રાજયોને રાહત પેકેજ પણ આપવા પડયા છે.જેના કારણે રાજયોનું બજેટ અસ્તવ્યસ્ત બની ગયુ છે. કેન્દ્ર અને રાજયો વચ્ચે જીએસટી આવકમાં રાજયોની ઘટમાં કેન્દ્ર છ વર્ષ સુધી તે ઘટ ભરપાઈ કરશે તેવી સમજુતી થઈ છે પણ હવે કેન્દ્ર સરકાર આ માટે જીએસટી કાઉન્સીલ દેવું કરીને નાણા મેળવે અને તે રાજયોને આપે તથા ભવિષ્યની આવકથી દેવું ભરપાઈ કરે તેવી ફોર્મ્યુલા આગળ ધરી રહી છે. જે મુદે આજની બેઠકમાં પણ ચર્ચા થશે.