[weather_data]
Breaking News
TRENDING NEWS

મહારાષ્ટ્ર કેબીનેટ વિસ્તરણ : કાલે 14 મંત્રીઓનાં શપથ ગ્રહણ

[updated_date] [post_views]

Table of Content

– વિસ્તરણ દરમિયાન કુલ 14 મંત્રીઓ શપથ લઈ શકે છે
– સીએમ એકનાથ શિંદેએ પણ કેબિનેટ વિસ્તરણ પર મોટું નિવેદન આપ્યું છે
– ભાજપ કેમ્પમાંથી સુધીર મુનગંટીવાર, ચંદ્રીકાંત પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો

આવતીકાલે મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. વિસ્તરણ દરમિયાન કુલ 14 મંત્રીઓ શપથ લઈ શકે છે.જેમાં ભાજપ તરફથી સુધીર મુનગંટીવાર,ચંદ્રીકાંત પાટીલ,ગિરીશ મહાજનને તક આપવામાં આવશે.મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ શિંદે સરકારના મંત્રીમંડળના વિસ્તરણની રાહ હવે પૂરી થવા જઈ રહી છે.અહેવાલ છે કે શિંદે સરકારની કેબિનેટ મંગળવારે શપથ લઈ શકે છે.આ શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે.આ નવી સરકારમાં કુલ 14 મંત્રીઓ શપથ લઈ શકે છે.હજુ સુધી મંત્રીઓને લઈને કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી,પરંતુ જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ભાજપને ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો મળી શકે છે.

આ વખતે ભાજપ કેમ્પમાંથી સુધીર મુનગંટીવાર,ચંદ્રીકાંત પાટીલ,ગિરીશ મહાજનને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે,જ્યરે શિંદે કેમ્પમાંથી ગુલાબ રાવ પાટીલ,સદા સાવરકર,દીપક કેસરકરને તક આપવામાં આવી શકે છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ વિભાગ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી શકે છે.આ કેબિનેટ વિસ્તરણ શિંદે સરકાર અને બીજેપી માટે ઘણો મહત્વનો સાબિત થશે.આગામી ચૂંટણી અને તમામ રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પસંદગી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા બળવાખોર ધારાસભ્યોના સભ્યપદ અંગે કોઈ નિર્ણય આપવામાં આવ્યો નથી,તેથી જ આ મંત્રીમંડળના વિસ્તરણમાં આટલો વિલંબ થઈ રહ્યો છે.પરંતુ હવે જ્યારે તેમને સત્તામાં આવ્યાને 35 દિવસથી વધુ સમય થઈ ગયો છે ત્યારે મંત્રીમંડળના શપથ લેવા જરૂરી હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે આ ઔપચારિકતા પૂર્ણ થઈ શકે છે.દેવેન્દ્ર ફડણવીસે સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે.દિલ્હીમાં પણ મોટા નેતાઓને મળવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે.આવી સ્થિતિમાં નવી કેબિનેટને લઈને બધુ ફાઈનલ થઈ ગયું છે, આવતીકાલે તેમના શપથ સંભવ છે.

સીએમ એકનાથ શિંદેએ પણ કેબિનેટ વિસ્તરણ પર મોટું નિવેદન આપ્યું છે. શનિવારે, મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે મંત્રી પરિષદના વિસ્તરણમાં વિલંબને કારણે રાજ્ય સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી. ટૂંક સમયમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં આવશે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી.નિર્ણય લેવાની પ્રક્રિયાને અસર થઈ નથી.હું અને નાયબ મુખ્યમંત્રી નિર્ણયો લઈ રહ્યા છીએ અને સરકારના કામકાજ પર કોઈ અસર થઈ નથી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles