– રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે થયેલી ટસમસ બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને રાજ્યની રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
મુંબઈ,
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને MLC તરીકે પદોનામિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે કેબિનેટને બે વાર પ્રસ્તાવ પાસ કરીને મોકલ્યો છે પરંતુ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી જેનાથી બંધારણીય સંકટ ઘેરાયેલું જોવા માટે મળી રહ્યું છે.રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે થયેલી ટસમસ બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને રાજ્યની રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ,ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન મોદી સાથે ફોન પર રાજકીય બાબતો પર ચર્ચા કરી હતી.આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે,આ મહત્વપૂર્ણ સમયમાં રાજ્યમાં રાજકીય અસ્થિરતા સાચી નથી. જેનાથી રાજ્યમાં ખોટો સંદેશો ફેલાશે જેનાથી બચીને રહેવું જોઈએ.આ મુદ્દે વડાપ્રધાન મોદીએ ઉદ્ધવ ઠાકરેને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે જલ્દી જ નિર્ણય લેશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમિયાન મંગળવારે ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને લઈને મહા વિકાસ આઘાડીનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા.આ મામલે રાજ્ય કેબીનેટે સોમવારે સાંજે પ્રસ્તાવ પાસ કરીને રાજ્યપાલને મોકલી આપ્યો હતો જેમાં ઉદ્ધવ ઠાકરેને MLC તરીકે ઘોષિત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.પરંતુ હજુ સુધી કોશિયારી તરફથી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.