આ વર્ષની મહાશિવરાત્રી ઘણી રીતે ખૂબ જ ખાસ છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શિવરાત્રીના દિવસે 30 વર્ષ બાદ એક દુર્લભ યોગ બની રહ્યો છે.શિવભક્તોનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી.આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર આવતીકાલે છે.આ દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનો વિવાહ થાય છે.એવી માન્યતા છે કે, આ દિવસે ભક્ત જો પુરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે,તો તેમને જીવનની ઘણી સમસ્યામાંથી મુક્તિ મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે. 30 વર્ષ બાદ આ દિવસે એક દુર્લભ સંયોગ બન્યો છે.મહાશિવરાત્રીના દિવસે પિતા સૂર્ય અને પુત્ર શનિ કુંભ રાશિમાં સાથે રહેશે.જ્યારે શુક્ર મીન રાશિમાં બેઠો હશે.આવી સ્થિતિમાં આ દિવસે દૂગ્ધ-શર્કરાનો યોગ બનવા જઈ રહ્યો છે.આ યોગને કારણે 3 રાશિવાળા લોકોને ઘણો ફાયદો થશે.
મેષ રાશિ પર દુગ્ધ શર્કરા યોગની અસર : આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર મેષ રાશિના લોકો પર ખૂબ જ કૃપાળુ રહેશે.આ સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે.વ્યાપારીઓને મોટો ફાયદો થશે.આ ઉપરાંત નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે.વિવાહિત જીવનમાં મધુર સંબંધો બનશે.
વૃષભ રાશિ પર દુગ્ધ શર્કરા યોગની અસર : વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રીથી સારા દિવસોની શરૂઆત થશે.આ દિવસથી ભાગ્યનો સાથ તમને મળવા લાગશે.આ સાથે વેપારમાં પ્રગતિ થશે.મેષ રાશિના લોકોને ભરપૂર પૈસા મળશે.આ સમય રોકાણ માટે આ શ્રેષ્ઠ છે.
કુંભ રાશિ પર દુગ્ધ શર્કરા યોગની અસર : કુંભ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ શુભ પરિણામ લાવશે.કુંભ રાશિના લોકો જે પણ કામમાં હાથમાં લેશે,તેમાં તેમને સફળતા મળશે.આ સાથે અપરિણીત લોકોના લગ્ન થવાની સંભાવના છે.આ ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ બનશે.