સુરત, 27 મે : સુરેન્દ્ર નગરના જિલ્લા કલેકટર રહી ચૂકેલા અને સુરતના જિલ્લા વિકાસ અધિકારી રહી ચૂકેલા કે રાજેશની મુશેકલીઓ ઘટવાનું નામ નથી લેતી.એક પછી એક ભ્રસ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે જેતે સમયે બારડોલી જિલ્લાના ડે. કલેકટર તરીકેના કાર્યકાળની પણ તપાસ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સુરત જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત કે રાજેશ બારડોલીના ડે. કલેકટર પણ રહી ચુક્યા છે.સુરતમાં કે રાજેશની સંપત્તિ મળી આવી છે ત્યારે હવે બારડોલીના કાર્યકાળ દરમિયાન કે રાજેશે હોદ્દાનો દુરોપયોગ કર્યો છે કે નહિ એની તપાસ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે કે. રાજેશના ભ્રસ્ટાચારનો આખો મામલો ત્યારે સામે આવ્યો જયારે કે. રાજેશે સતાની ઉપરવટ જઇને હથિયારનાં 39 પરવાના ઇશ્યુ કરી દીધા હતા.પોલીસ દ્વારા નેગેટીવ રિપોર્ટ આપવામાં આવ્યો હોવા છતાં 39 હથિયાર પરવાનાને મંજૂરી આપી દીધી હતી.તેમાંથી 38 પરવાના સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીનાં કર્મચારી-અધિકારીઓને અપાયા હતા જ્યારે 1 પરવાનો વગદાર રાજકારણીનાં સંબંધીને આપવામાં આવ્યો હતો.