નવી દિલ્હી, તા. 09 માર્ચ, 2022, બુધવાર : દેશના મેટલ અને એનર્જી સેક્ટરના દિગ્ગજ બિઝનેસ ગ્રુપ પૈકીના એક વેદાંતા ગ્રુપના વડા અનિલ અગ્રવાલ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે.માત્ર 19 વર્ષની ઉંમરમાં તેઓ બિહારના પટના ખાતેથી મુંબઈ આવ્યા હતા અને નાની દુકાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ આટલા મોટા ઔધોગિક સમૂહના પ્રમુખ છે પરંતુ હંમેશાથી તેમનું જીવન આવું ન હતું.
400 રૂપિયામાં 4 બાળકોનો ઉછેર કરતી હતી માતા
અનિલ અગ્રવાલે પોતાની માતાના બલિદાન અને ત્યાગની કહાની ટ્વિટર પર શેર કર છે.તેમણે ટ્વીટ કરીને લખ્યું કે,માતા,મારા બાળપણને તમે સિંચ્યું અને મને મારા સપના પૂરા કરવાની તક આપી હતી.તે સમયે તમને 4 બાળકોનો ઉછેર કરવા માટે માત્ર 400 રૂપિયા મળતા હતા પરંતુ તમે કાયમ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે,અમારા બધાના પેટ પૂરી રીતે ભરાઈ રહે.હું પોતાને ભાગ્યશાળી માનું છું કે,હું હજુ પણ તમારી સાથે રહું છું અને તમે રોજ મને પ્રેરણા આપો છો.
150 કરોડથી વધારેનું આપ્યું દાન
અનિલ અગ્રવાલ આજે ભલે મોટા બિઝનેસમેન છે અને કરોડોની સંપત્તિના માલિક છે પરંતુ મધ્યમ વર્ગના મૂલ્યો તેમના જીવન સાથે જોડાયેલા રહ્યા છે.આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમણે પોતાની પત્ની અને પુત્રીનું તેમના જીવનમાં રહેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.કોરોના કાળ દરમિયાન પણ વેંદાતા ગ્રુપે લોકોની મદદ માટે 150 કરોડથી વધારે રકમ દાન કરી હતી.