વરાછા હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે, નોકરી નથી કરવી.
સુનીતા યાદવે કહ્યું હતું કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે.વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં.તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો,ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી.મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી.મંત્રીનો દીકરો છે તો શું થયું.એક કામ કરો મારી બદલી કરાવી દો.મારે ગાંધીનગર જવું છે,બહુ મગજમારી નથી કરવી,સસ્તામાં કરાવી દેજો.કોન્સ્ટેબલે વરાછા પો.સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો.