[weather_data]
Breaking News
TRENDING NEWS

મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોના વિકાસ કામોના ભુમિપૂજન,ખાતમુર્હુત, લોકાર્પણ કરાયું

[updated_date] [post_views]

Table of Content

મહેસાણા, 15 ઓગસ્ટ : મહેસાણા નગરપાલિકાના વિવિધ વિકાસ અને લોકપયોગી કામોના ખાતમુર્હુત,ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત મહેસાણા નાગલપુર ખાતે મ્યુનિસિપલ ફંડ અંતર્ગત સ્મશાન ડેવલપમેન્ટ કરવાનું કામ,મહેસાણા ખાતે ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશન (બીલાડી બાગ પરા વિસ્તાર) તેમજ સીવરેજ નેટર્વક બનાવવાનું કામ,મ્યુનિસિપલ હદ વિસ્તારમાં ટીપી-૦૪ના નગરપાલિકા હસ્તકના તમામ રીઝર્વ પ્લોટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ તેમજ સોસાયટી સ્ટ્રીટ લાઇટની નિભાવણી તથા મેન્ટેનન્સ અને વીજ બીલ નગરપાલિકા દ્વારા ભરવાની યોજના લોન્ચ કરવામાં આવી હતી.નાયબ મુ્ખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ જુગલજી લોખંડવાલા,ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,નગરપાલિકા પ્રમુખ નવીનભાઇ સહિત નગરપાલિકાના સભ્યશ્રીઓ,પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત,ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું હતું કે કોરોનાની આ વશ્વિક મહામારીમાં પણ નાગરિકોના સુખ અને સુવિધાની ચિંતા કરી છે.તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના નાગરિકોના સાથ અને સહકારથી સરકારના પ્રયાસોથી કોરોના સામે સકારત્મક પરીણામ મળ્યું છે.ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં સમતોલ વિકાસની પરીભાષા દેશ અને દુનિયાને દેખાડી છે.રાજ્યમાં શહેરોમાં સતત વધી રહેલ પહેલને પગલે શહેરોનો સમતોલ અને સર્વાંગિ વિકાસ થાય તે માટે સ્વચ્છ,સુંદર અને સુવિધાપુર્ણ શહેરો માટે સરકારે કટિબધ્ધતા બતાવી છે.તેમણે ઉમેર્યું હતું કે કોરોના પગલે વિકાસ અટકી ન જાય તેવું વાતાવરણ આપણે ઉભું કરવા માંગતા નથી.આ વૈશ્વમિક મહામારીમાં પણ વિકાસની ગતિ તેજ રહે તે દિશામાં સરકાર હમેશાં પ્રયત્નશીલ રહી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles