[weather_data]
Breaking News
TRENDING NEWS

મહેસાણા : રબારી સમાજની ગુરૂગાદી તરભના મહંત બળદેવગીરી બાપુનું નિધન

[updated_date] [post_views]

Table of Content

– મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રબારી સમાજ ના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજી ના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે

મહેસાણા : રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજની છેલ્લા ઘણા દિવસથી તબિયત બગડી હતી. જેમનું આજે સાંજે દુઃખદ અવસાન થતા સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

રબારી સમાજના મહંદના નિધન અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રબારી સમાજ ના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજી ના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુની તબીયત છેલ્લા કેટલાક દિવસથી લથડતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાંથી તેમને ત્રણ દિવસ પહેલા જ તરભ આશ્રમ લાવવામાં આવ્યા હતા. છેલ્લા દિવસોમાં સમાજના અનેક આગેવાનો અને રાજકીય નેતાઓ પણ તેમના ખબર અંતર લેવા તરભ પહોંચ્યા હતા.

વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે.પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાના આ પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી.સમસ્ત રબારી સમાજ માટે આ પાવન સ્થળ માનવામાં આવે છે.તરભ વાળીનાથ અખાડા ધામમાં મહંત બળદેવગિરી બાપુના દર્શને બેસતા વર્ષે અને ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ આવતા હતા.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles