સરકારી ઓફિસમાં મોડા આવતા કર્મચારીઓ સામે સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાલ આંખ કરી છે.મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓ સામે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે સમયસર નહીં આવતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે.
સરકારી કર્મચારીઓ વર્ક કલ્ચરને લઈને હંમેશા ચર્ચા અને વિવાદમાં રહેતા હોય છે.મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આજે સરકારી કર્મચારીઓના વર્ક કલ્ચરને લઈને આકરુ વલણ અપનાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે કોઈ કર્મચારીઓ સમયસર નહીં પહોંચે તો તેઓની વિરૂદ્ધ ખાતાકીય પગલાં લેવાશે.
આજે સવારે જ મહેસૂલ વિભાગને 8 કોલ આવ્યાં હતાં.અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવતા નથી તેવી ફરિયાદો મળી હતી.જેથી દરેક કર્મચારીઓને મારી ચેતવણી છે કે તેમણે વર્ક કલ્ચર બદલવું જ પડશે.સમયસર ઓફિસ પહોંચવું પડશે.જો એમ નહીં થાય તો ખાતાકીય તપાસ કરાશે અને યોગ્ય પગલાં લેવાશે.લોકોના કામ હવે ઝડપથી કરવા પડશે.કરવા ખાતર કામોને નામંજૂર કરશો નહીં પરંતુ યોગ્ય કારણ હોય તો જ કામ નામંજૂર કરો.હું ગમે ત્યારે ગમે તે કચેરીમાં જઈશ અને તપાસ કરીશ.
કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી ગઈ છે ત્યારે સરકારે સરકારી ઓફિસો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યારે અમુક અધિકારીઓ આળસ કરી રહ્યા હોય એવો સરકારને અનુભવ થયો હતો.જેથી સરકારે આ કડક વલણ અપનાવ્યું છે.સરકારી કર્મચારીઓ સમયસર ના આવતા અને સમય પહેલા નીકળી જતા હોવાથી આ પ્રશ્ન ઉભો થયો હતો જેથી સરકારે પોતાના કડક વલણ સાથે કાર્યવાહી કરી છે.
મુદ્દા ?
– મહેસૂલ વિભાગને સવારે 8 કોલ આવ્યા છે.
– અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવ્યા નથી.
– હું તાકીદ કરું છું કે વર્ક કલ્ચર બદલવું પડશે અને સમયસર ઓફિસમાં પહોંચવું પડશે.
– જો એમ નહિ થાય તો પગલાં લેવાશે અને ખાતાકીય તપાસ કરાશે.
– લોકોના કામ ઝડપથી કરવા પડશે.
– કરવા ખાતર કામો નામંજૂર કરશો નહિ, યોગ્ય કારણ હોય તો જ કામ નામંજૂર કરો.
– ગમે ત્યારે ગમે તે કચેરીમાં જઈશ અને જોઈશ.