By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહેસૂલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ થઈ જજો સાવધાન, જાણો રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મહેસૂલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ થઈ જજો સાવધાન, જાણો રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું?
GandhinagarGeneral

મહેસૂલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ થઈ જજો સાવધાન, જાણો રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું?

HM News
Last updated: 04/10/2021 8:18 AM
HM News
4 years ago
Share
SHARE

સરકારી ઓફિસમાં મોડા આવતા કર્મચારીઓ સામે સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાલ આંખ કરી છે.મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓ સામે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે સમયસર નહીં આવતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે.

સરકારી કર્મચારીઓ વર્ક કલ્ચરને લઈને હંમેશા ચર્ચા અને વિવાદમાં રહેતા હોય છે.મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આજે સરકારી કર્મચારીઓના વર્ક કલ્ચરને લઈને આકરુ વલણ અપનાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે કોઈ કર્મચારીઓ સમયસર નહીં પહોંચે તો તેઓની વિરૂદ્ધ ખાતાકીય પગલાં લેવાશે.

આજે સવારે જ મહેસૂલ વિભાગને 8 કોલ આવ્યાં હતાં.અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવતા નથી તેવી ફરિયાદો મળી હતી.જેથી દરેક કર્મચારીઓને મારી ચેતવણી છે કે તેમણે વર્ક કલ્ચર બદલવું જ પડશે.સમયસર ઓફિસ પહોંચવું પડશે.જો એમ નહીં થાય તો ખાતાકીય તપાસ કરાશે અને યોગ્ય પગલાં લેવાશે.લોકોના કામ હવે ઝડપથી કરવા પડશે.કરવા ખાતર કામોને નામંજૂર કરશો નહીં પરંતુ યોગ્ય કારણ હોય તો જ કામ નામંજૂર કરો.હું ગમે ત્યારે ગમે તે કચેરીમાં જઈશ અને તપાસ કરીશ.

કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી ગઈ છે ત્યારે સરકારે સરકારી ઓફિસો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યારે અમુક અધિકારીઓ આળસ કરી રહ્યા હોય એવો સરકારને અનુભવ થયો હતો.જેથી સરકારે આ કડક વલણ અપનાવ્યું છે.સરકારી કર્મચારીઓ સમયસર ના આવતા અને સમય પહેલા નીકળી જતા હોવાથી આ પ્રશ્ન ઉભો થયો હતો જેથી સરકારે પોતાના કડક વલણ સાથે કાર્યવાહી કરી છે.

મુદ્દા ?

– મહેસૂલ વિભાગને સવારે 8 કોલ આવ્યા છે.
– અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવ્યા નથી.
– હું તાકીદ કરું છું કે વર્ક કલ્ચર બદલવું પડશે અને સમયસર ઓફિસમાં પહોંચવું પડશે.
– જો એમ નહિ થાય તો પગલાં લેવાશે અને ખાતાકીય તપાસ કરાશે.
– લોકોના કામ ઝડપથી કરવા પડશે.
– કરવા ખાતર કામો નામંજૂર કરશો નહિ, યોગ્ય કારણ હોય તો જ કામ નામંજૂર કરો.
– ગમે ત્યારે ગમે તે કચેરીમાં જઈશ અને જોઈશ.

મહારાષ્ટ્ર પહોંચી લખીમપુર હિંસાની આગ, ઉદ્ધવ સરકારનું સોમવારે બંધનું એલાન
નાર્કોટિક્સ કેસના વિવાદમાં સંજીવ ભટ્ટની રિવિઝન અરજી હાઇકોર્ટે ફગાવી
રાજ્યમાં દારૂની રેલમછેલ : ગુનાના પ્રમાણમાં સતત વધારો
લો બોલો !! સાહેબ, પેલી નેહાને સાડીમાં જોવી.. : 12માંની પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થીએ PM મોદીને કરી એવી રિક્વેસ્ટ થઈ ગઈ વાયરલ
ઉદયપુર હત્યાકાંડ : ‘કન્હૈયા અમર રહે’ના નારા સાથે ઘરે લાવવામાં આવ્યો મૃતદેહ, અંતિમયાત્રામાં ભારે ભીડ
Share This Article
Facebook Email Print
Previous Article ઠોકો તાલી : નવજોત સિદ્ધૂ માનતા નથી હવે કહ્યું કે પંજાબના DGP, AGને બદલો તો જ આગળ ચર્ચા કરીશ
Next Article ગુજરાત ATSને મળી મોટી સફળતા, પેરોલ જમ્પ કરનાર આરોપી જમ્મુથી ઝડપાયો…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up