બારડોલી : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ઉમરસાડી ગામે 2015માં ચાર શખ્સોએ એક યુવકને લાકડાના સપાટા મારી તેની હત્યા કરી નાખી હતી.આ ઘટનાનો કેસ ચાલી જતાં સોમવારના રોજ બારડોલી સેશન્સ કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર ગત 17મી મે 2015ના રોજ માંડવી તાલુકાનાં ઉમરસાડી ગામે પટેલ ફળિયામાં રહેતા સોનજીભાઈના ઘરના આંગણામાં આ અમિત નાનુ ચૌધરી, આશિષ ઉર્ફે મોન્ટુ રામસિંગ ચૌધરી, કૌશિક ઠાકોર ચૌધરી અને નિતિન સૂકા ચૌધરીએ એક સંપ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી મુકેશ સોનજી ચૌધરી પર વહેમ રાખી તેના પર લાકડાના સપાટા વડે હુમલો કરી તેની હત્યા કાર નાખી હતી.આ અંગે ચારેય સામે માંડવી પોલીસ મથકમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302, 120(બી), 114 હેઠળ ગુનો નોંધાયો હતો.જે કેસ આજે બારડોલી સેશન્સ કોર્ટમાં કહાલી જતાં સરકારી વકલી એન.એચ.પટેલની દલીલોને ધ્યાને લઈ બારડોલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સસ જજ બી.જી. ગોલાણીએ અમિત નાનું ચૌધરી, આશિષ ઉર્ફે મોન્ટુ રામસિંગ ચૌધરી, કૌશિક ઠાકોર ચૌધરી અને નિતિન સૂકા ચૌધરીને તકસીરવાર ઠેરવી આજીવન સજા અને દરેક આરોપીને 5 હજારનો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરે તો 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.